પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રધાનમંત્રી મોદી પર પ્રહાર કર્યા છે. મમતાએ કહ્યું કે, મને મોદીને થપ્પડ મારવાની ઈચ્છા થઈ છે. મેં આવા જૂઠ્ઠા પ્રધાનમંત્રી ક્યાંય નથી જોયા. હવે ચૂંટણી આવી છે તો રામ-નામ જપવાનું શરૂ કર્યું છે.
5 વર્ષ પહેલાં તેમણે સારા દિવસોની વાત કરી હતી. પરંતુ પછી નોટબંધી કરી દીધી હતી. તેઓ બંધારણ પણ બદલી દેશે. આ ઉપરાંત જ્યારે મોદી બંગાળ આવીને કહે કે, ટીએમસી લૂંટારાઓથી ભરેલી છે ત્યારે મને તેમને થપ્પડ મારવાનું મન થઈ જાય છે.
મોદી પશ્ચિમ બંગાળમાં પગ પેસારો કરવા માગે છે ત્યારે મમતા પોતાની સત્તા ટકાવી રાખવા માગે છે. જેને લઈને હાલ બંને વચ્ચે જોરદાર શાબ્દીક યુદ્ધ ચાલી રહ્યુ છે..આ વિવાદમાં અમિત શાહ પણ કુદી પડ્યા હતા અને તેમણે કહ્યું હતુ કે રામ નામ ભારતમાં નહીં તો પાકિસ્તાનમાં લઈશું તેમ કહીને પ્રહાર કર્યા હતા. .
#WATCH West Bengal CM Mamata Banerjee in Purulia: Money doesn't matter to me.That is why when Narendra Modi came to Bengal and accused my party of being Tolabaaz (Toll collector), I wanted to give him a tight slap of democracy pic.twitter.com/JnE5xywWJI
— ANI (@ANI) May 7, 2019
મમતાએ પરુલિયામાં ટીએમસી સરકારની સફળતા ગણાવી હતી..અને પ્રજાને અપીલ કરી હતી કે તેઓ ભાજપના ખોટા વાયદાઓમાં ફસાય નહીં..આ ઉપરાંત મમતાએ કહ્યું કે, મોદી પરુલિયાના આદિવાસી ગામડાઓ વિશે જાણે છે?
અત્યાર સુધી અહીં 300 આઈઆઈટી કોલેજ બનાવી દીધી છે. દિલ્હીમાં મોદી 5 વર્ષથી છે. મેં ખૂબ સંઘર્ષ કર્યો છે. હું મારી જાતને વેચીને રાજકારણ નથી કરતી. હું મોદીથી નથી ડરતી. કારણકે હું આ પ્રકારનું જ જીવન જીવુ છું.
વધુમાં તેમણે કહ્યું કે, મોદી જેવા જૂઠ્ઠા વ્યક્તિ મેં આજ સુધી નથી જોયા. આસામમાં 22 લાખ બંગાળીઓના નામ કાપી નાખ્યા. મહારાષ્ટ્ર અને યુપીથી બિહારીઓને ભગાડી દીધા. હવે તેઓ બંગાળમાં પણ એનઆરસીની વાત કરે છે. પ્રાકૃતિક તકલીફ અને પૂર સમયે મોદી બંગાળ નથી આવતા. અને ખોટા આક્ષેપો કરી રહ્યા હોવાના મમતાએ પ્રહાર કર્યા હતા.