દિલ્હીના પ્રસિદ્ઘ ઐતિહાસિક- ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ હવે અરૂણ જેટલી સ્ટેડિયમ રાખવામાં આવ્યુ છે અને સાથે જ વિરાટના નામે એક સ્ટેન્ડનું પણ અનાવરણ કરવામાં આવ્યુ.
ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનુ નામ હવે અરૂણ જેટલી સ્ટેડિયમ
DDCA એ અરૂણ જેટલીને આપ્યુ સન્માન
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના નામે સ્ટેડિયમમાં એક સ્ટેન્ડ
DDCA એ પોતાના વાર્ષિક પુરસ્કાર સમારોહના દરમિયાન ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ પણ અરૂણ જેટલી સ્ટેડિયમ કરી દીધુ. ગૃહ મંત્રી અમિત શાહએ દિવંગત અરૂણ જેટલીના પરિવારની હાજરીમાં અરૂણ જેટલી સ્ટેડમિયનું ડિજિટલી ઉદ્ઘાટન કર્યુ.
ક્રિકેટમાં તેના યોગદાન લઇને ફિરોઝ શાહ કોટલા સ્ટેડમિયમમાં નવા પવેલિયિન સ્ટેન્ડનું પોતાના નામ પર નામકરણ થયા પછી ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કેટલીક જૂની યાદો વિશે જણાવ્યુ.
Thank you @delhi_cricket and @BCCI for bestowing this honour upon me. The pavilion will remind me of my journey in life and in cricket but most importantly I hope it will serve as an inspiration for the next generation of young cricketers of our nation.
આ કાર્યક્રમ દરમિયાન જ્યારે DDCAના અધ્યક્ષ રજત શર્માએ એક કિસ્સો શૅર કર્યો, ત્યારે અનુષ્કા ભાવુક થઇ ગઇ અને વિરાટનો હાથ ચૂમી લીધો હતો.
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આગળ કહ્યુ કે, ''આજે આ સ્ટેડિયમમાં મારા નામ પર એક સ્ટેન્ડ છે આ મોટું સન્માન છે. હું રજત શર્મા, ટીમ ઇન્ડિયા, દિલ્હીની જૂની અને નવી ટીમ, BCCI નો આભાર માનું છું. મારા પાસે શબ્દો નથી. મારા બાળપણના કોચ રાજકુમાર શર્માનો આભાર માનું છું. મેં ક્યારેય નહતુ વિચાર્યુ કે મને આટલુ મોટું સન્માન મળશે.'' આ પ્રસંગ દરમિયાન અંડર 19 ટીમથી ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી સુધી વિરાટ કોહલીની સફર બતાવવામાં આવી. આ દરમિયાન ટીમ ઇન્ડિયા અને સહયોગી સ્ટાફ પણ હતો. આ સિવાય વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા અને તેનો પરિવાર પણ સાથે હતો.
Delhi: A pavilion stand of the Arun Jaitley Stadium has been named after Virat Kohli. pic.twitter.com/V8OFzvTJCz
વિરાટ કોહલીએ જવાહર લાલ નહેરૂ સ્ટેડિયમના વેટલિફ્ટિંગ હોલમાં આયોજિત કાર્યક્રમમાં કહ્યુ, ''મેં ક્યારેય વિચાર્યુ નહતુ કે આટલું મોટું સન્માન મળશે. સમજ નથી આવી રહ્યુ કે, શું કહુ કેમકે મારો પરિવાર, પત્ની, ભાઇ તમામ અહીંયા છે. 2001 માં ઝિમ્બાબ્વે વિરુદ્ઘ મેચ દરમિયાન મારા બાળપણના કોચ રાજકુમાર શર્માએ મને 2 ટિકિટ આપી હતી. મને યાદ છે કે જવાગલ શ્રીનાથના ઓટોગ્રાફ માટે હું ગેલેરી ફરી વળ્યો હતો. મેં મારા ભાઇને કહ્યુ કે, ક્યાંથી ક્યાં આવી ગયા.''
દિવંગત અરૂણ જેટલી વિશે પોતાના સંબંધોને લઇને વિરાટ કોહલીએ કહ્યુ કે, ''મેં અરૂણ જેટલીજીના પરિવારને કહ્યુ કે, દુનિયા તેમણે અલગ રીતે ઓળખતી હશે પરંતુ હું જેટલીજીને એક સારા વ્યકિત તરીકે જાણું છું. મારા પિતાના અવસાન પછી તેઓ મારુ ઘર શોધતા પહોચ્યા અને મને સાંત્વના આપી હતી.''
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ કાર્યક્રમ પછી પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત અન્ય દિગ્ગજ હસ્તીઓ પણ ત્યાં હાજર હતી.