સુષ્મિતા સેને કહ્યું હતું કે કેવી રીતે તેને હાર્ટ અટેક આવ્યો હતો. આગળ વાત કરતાં એમને કહ્યું હતું કે "હું ખૂબ જ મોટા હાર્ટ એટેકમાંથી બચી છું. મારી આર્ટરીમાં 95% બ્લોકેજ હતું.
હું ખૂબ જ મોટા હાર્ટ એટેકમાંથી બચી છું - સુષ્મિતા સેન
મારા મનમાં હવે કોઈ પ્રકારનો ડર નથી -
મારી આર્ટરીમાં 95% બ્લોકેજ હતું -
સુષ્મિતા સેને હાલમાં પોતાના ફેન્સને ચોંકાવનારી માહિતી આપતા તેના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તેમને થોડાં દિવસ પહેલાં હાર્ટ અટેક આવ્યો હતો. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે તેમની એંજિયોપ્લાસ્ટી થઈ ગઈ છે અને તે હવે એકદમ બરાબર છે. એવામાં અભિનેત્રી-મૉડલ સુષ્મિતા સેનના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જાણવી દઈએ કે તાજેતરમાં કરેલી હાર્ટ સર્જરીમાંથી સુષ્મિતા સેન ઝડપથી સ્વસ્થ થઈ રહી છે.
જણાવી દઈએ કે સુષ્મિતા સેને હાલમાં જ એક ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશન કર્યું હતું જેમાં તેને તેના ફેન્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તે પોતાની જાતને પોઝિટિવ રાખી રહી છે અને પરિવારના તમામ સભ્યો તેની સાથે છે. આ સાથે જ તેને તેના ચાહકો, સમર્થકો અને શુભેચ્છકોનો દરેકનો આભાર માન્યો હતો અને તેની હેલ્થ અપડેટ પણ આપી હતી.
હું ખૂબ જ મોટા હાર્ટ એટેકમાંથી બચી છું - સુષ્મિતા સેન
લાઈવ સેશનમાં સુષ્મિતા સેને તેના પરિવારના સભ્યો, ડોક્ટર્સ અને લોકોનો આભાર માન્યો જેઓ હંમેશા તેની સાથે હતા. આ પછી સુષ્મિતા સેને કહ્યું હતું કે કેવી રીતે તેને હાર્ટ અટેક આવ્યો હતો. આગળ વાત કરતાં એમને કહ્યું હતું કે "હું ખૂબ જ મોટા હાર્ટ એટેકમાંથી બચી છું. મારી આર્ટરીમાં 95% બ્લોકેજ હતું. તે મારા જીવનનો એક તબક્કો હતો અને તે પસાર થઈ ગયો હતો. મારા દિલમાં હવે કોઈ વાતનો ડર નથી." આ સિવાય સુષ્મિતા સેને નાણાવટી હોસ્પિટલના ડૉક્ટરોનો આભાર માન્યો, જેમણે તેમનો જીવ બચાવ્યો.
મારા મનમાં હવે કોઈ પ્રકારનો ડર નથી - સુષ્મિતા સેન
સુષ્મિતા સેને કહ્યું કે હું હવે દરેક વસ્તુને અલગ રીતે જોઉં છું અને મારા મનમાં હવે કોઈ પ્રકારનો ડર નથી. હવે હું એમ વિચારી રહી છું કે મારે મારી જાતને પ્રોમિસ કરવું જોઈએ અને વસ્તુઓની આગળ જોવું જોઈએ. સુષ્મિતા સેને તેના ચાહકો અને શુભેચ્છકોનો આભાર માનતા કહ્યું કે જેમણે મને ફૂલો મોકલ્યા છે તેનાથી મારું ઘર ભરાઈ ગયું છે અને તે હવે 'ગાર્ડન ઑફ ઈડન' જેવું લાગી રહ્યું છે.