25 જૂન 1975ના રોજ દેશમાં કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી. કટોકટીને આજે 45 વર્ષ પૂરા થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આજથી ઠીક 45 વર્ષ પહેલા દેશ પર કટોકટી થોપવામાં આવી હતી. તે સમયે ભારતની લોકશાહીની રક્ષા માટે જે લોકોએ સંઘર્ષ કર્યો, દુઃખ સહન કર્યા, તે બધાને મારા શત-શત- નમન! તેમના ત્યાગ અને બલિદાનને દેશ ક્યારેય ભુલી શકશે નહીં.
કટોકટી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું
45 વર્ષ પહેલા દેશમાં કટોકટી લગાવી દેવાઇ હતી
સંઘર્ષ કરનારાઓનું ત્યાગ, બલિદાન ક્યારેય નહીં ભૂલીએ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, જ્યારે કટોકટી લગાવામાં આવી ત્યારે તેનો વિરોધ માત્ર રાજકીય રહ્યો નહોતો. જેલના સળિયા સુધીમાં આંદોલન સમેટાઇ ગયું નહોતું. જન-જનના મનમાં આક્રોશ હતો. ખોવાય લોકશાહીની તડપ હતી. ભૂખની ખબર નહોતી. સામાન્ય જીવનમાં લોકશાહીનું શું મહત્વ છે ત્યારે ખબર પડી જ્યારે કોઇ લોકશાહી અધિકારીઓને છીનવી લે છે.
आज से ठीक 45 वर्ष पहले देश पर आपातकाल थोपा गया था। उस समय भारत के लोकतंत्र की रक्षा के लिए जिन लोगों ने संघर्ष किया, यातनाएं झेलीं, उन सबको मेरा शत-शत नमन! उनका त्याग और बलिदान देश कभी नहीं भूल पाएगा। pic.twitter.com/jlQVJQVrsX
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કટોકટીમાં દેશના બધા લોકોને લાગી રહ્યું હતું કે તેમનું કંઇ છીનવાઇ ગયું છે, જેનો તેમણે ઉપયોગ કર્યો નથી, તે છીનવાઇ ગયું તો તેનું દર્દ હતું. ભારત ગર્વથી કહી શકાય છે કે કાયદા-નિયમોથી ઉપર લોકશાહી આપણા સંસ્કાર છે. લોકશાહી આપણી સંસ્કૃતિ છે, વિરાસત છે. તે વિરાસતને લઇને આપણે મોટા થયા છે.
On this day, 45 years ago one family’s greed for power led to the imposition of the Emergency. Overnight the nation was turned into a prison. The press, courts, free speech...all were trampled over. Atrocities were committed on the poor and downtrodden.
આ અગાઉ અમિત શાહે કોંગ્રેસ પર નિશાન તાંકતા કહ્યું હતું કે 45 વર્ષ પહેલા આ દિવસે સત્તા માટે એક પરિવારના લોભના કારણે દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી. રાતો રાત રાષ્ટ્રને જેલમાં બદલી નાંખી. પ્રેસ, કોર્ટ, ભાષણ બધુ બંધ કરી દેવામાં આવ્યું. ગરીબ અને દલિત પર અત્યાચાર કરવામાં આવ્યાં. લાખો લોકોના પ્રયત્ન બાદ કટોકટી દૂર કરવામાં આવી હતી. ભારતમાં લોકશાહી ફરી પાટા પર આવી હતી, પરંતુ હાલના કોંગ્રેસમાં લોકશાહી ગેરહાજર રહી. એક પરિવારનું હિત પાર્ટીના હિત અને રાષ્ટ્રીય હિત કરતાં ઉપર હતું. આ ખેદજનક સ્થિતિ આજે પણ કોંગ્રેસમાં જોવા મળી રહી છે.