પાવાગઢમાં સંબોધન દરમિયાન PM મોદીએ કહ્યું, હું મહાકાળીને પ્રાર્થના કરું છું કે તેમના આશીર્વાદથી હું ઉર્જા અને સમર્પણ સાથે દેશના લોકોની સેવા કરતો રહું.
PM મોદી પાવાગઢ મંદિરે રૂ.137 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ
PM મોદી કાલિકા માતાના નવનિર્મિત શિખર પર કર્યુ ધ્વજારોહણ
હું મહાકાળીને પ્રાર્થના કરું છું કે તેમના આશીર્વાદથી હું દેશના લોકોની સેવા કરતો રહું
વડાપ્રધાન મોદી આજે સવારે માતા હીરાબાને મળ્યા બાદ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં મોદીએ મહાકાળી માતાના દર્શન કરીને વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. અને ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
હું મહાકાળીને પ્રાર્થના કરું છું કે તેમના આશીર્વાદથી હું દેશના લોકોની સેવા કરતો રહું
આ પ્રસંગે પાવાગઢમાં સંબોધન દરમિયાન PM મોદીએ ભાવુક થઈને કહ્યું, હું મહાકાળીને પ્રાર્થના કરું છું કે તેમના આશીર્વાદથી હું ઉર્જા અને સમર્પણ સાથે દેશના લોકોની સેવા કરતો રહું. તેમણે જણાવ્યું હતું કે, મારુ જે પણ સાર્મથ્ય છે મારા જીવનમાં જે કોઈ પણ પુણ્ય છે. તે દેશની માતાઓ અને બહેનાના કલ્યાણ માટે દેશ માટે સમર્પિત કરું છું. ગરવી ગુજરાતની ધરતીથી મા કાલીની ચરણોથી હું દેશની આઝાદીનો અમૃત મહોત્સવનો સ્મરણ કરું છું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે જેટલું યોગદાન દેશની આઝાદીની લડાઈ માટે આપ્યું છે. તેટલું જ દેશના વિકાસ માટે આપ્યું છે. ગરવી ગુજરાત ભારતના શાન અને ગૌરવની ઓળખ છે. ગુજરાતે ભારતના વ્યાપારનું પણ નેતૃત્વ કર્યું છે.અને ભારતની આદ્યાયતમિકતાને પણ સંરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે.