ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે લોકો જૂઠું શેર કરી રહ્યા છે અને એના અને રોહિત વચ્ચે બધું યોગ્ય છે. હવે રોહિતે સારો મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે.
વેસ્ટઇન્ડિઝ પ્રવાસ પર રવાના થતા પહેલા ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલીએ રોહિત શર્માની સાથે અણબનના સમાચારને નકાર્યા હતા. તો ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે કોઇ પણ ખેલાડી ટીમથી મોટો નથી.
ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્માએ ઇન્સ્ટાગ્રામ પર હવે એક ફોટો શેર કર્યો છે અને લખ્યું છે, 'હું માત્ર મારી ટીમ માટે નહીં, મારા દેશ માટે રમું છું.'
પ્રવાસ પર રવાના થતા પહેલા શાસ્ત્રીએ કહ્યું હતું, 'ટીમ જે રીતે રમે છે, એમાથી કોઇ પણ ખેલાડી ટીમથી મોટો નથી. જે રીતે ખેલાડી રમે છે એ ટીમના હિતમાં રમે છે. જો વિવાદ હોત તો પ્રદર્શનમાં નિરંતરતા હોત નહીં.'
કોહલીએ કહ્યું હતું, 'હું ઇમાનદારીથી કહું તો એ ખૂબ જ ખરાબ છે. આ પ્રકારની વાતો સાંભળવી નિરાશાજનક છે. અમને ખોટું કહેવામાં આવી રહ્યું છે. આપણે સારી ચીજોને નજરઅંદાજ કરી રહ્યા છીએ. આપણે આપણા મગજમાં ચીજો બનાવી રહ્યા છે અને ઇચ્છીએ છીએ કે એને સાચી માનવામાં આવે.'
કોહલીએ કહ્યું હતું, 'જો મને કોઇ ગમતું ના હોય તો એ મારા ચહેરા અને મારા વ્યવહારથી ખબર પડી જાય છે. જો ટીમમાં ચીજો સારી થતી ના હોય તો અમે સારું રમી શકીએ નહીં.'