કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો છે. અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે થયેલી અરજી અંતર્ગત આજે હાઇકોર્ટમાં સોગંદનામું થયું છે. જેને લઇને અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે.
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી પર હવે અલ્પેશ ઠાકોરે હાઈકોર્ટમાં સોગંદનામું થયું છે. અલ્પેશ ઠાકોરે સોગંદનામામાં કોંગ્રેસની અરજી કાયદેસર રીતે ટકવાપાત્ર રહેતી ન હોવાનું જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, મેં હજુ સુધી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી. આ સાથે અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતું થયેલું રાજીનામું માન્ય ન ગણી શકાય. કથિત રાજીનામાનો સ્વીકાર પણ નથી થયો.
હાઇકોર્ટમાં અલ્પેશ ઠાકોરના સોગંધનામા પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસે કહ્યું કે, અલ્પેશ ઠાકોર કન્ફ્યુઝ છે અને અલ્પેશના નાટકનો ઇન્ટરવલ છે. અલ્પેશ ઠાકોરે તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. રાજનેતા છો તો આવા હાથકંડા શું કામ કરો છો?
અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે, અલ્પેશ ઠાકોર ફરીથી વિધાનસભા જીતી શકે તેમ નથી. અલ્પેશ ઠાકોરનું વિધાનસભાનું સભ્ય પદ જશે.
વિધાનસભાના અધ્યક્ષના વકીલે પણ આપ્યો જવાબ
અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદને ગેરલાયક ઠેરવવાની અરજીનો મામલે અલ્પેશ ઠાકોરે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું. જેમાં વિધાનસભાના અધ્યક્ષ તરફથી વકીલ કમલ ત્રિવેદી હાજર રહ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ તરફથી વકીલે HCમાં જવાબ રજૂ કર્યો. અધ્યક્ષના વકીલે જણવ્યું કે, નિર્ણય પ્રક્રિયામાં જ્યુડિશિયલ રીવ્યુને કોઇ અવકાશ નથી. વિધાનસભાના કાર્યક્ષેત્રમાં કોર્ટના હસ્તક્ષેપને અવકાશ નથી.
મહત્વનું છે કે લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી કામગીરી મામલે કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની માગ કરી છે.