ઉદ્યોગપત ગૌતમ અદાણીએ પોતાના જીવનનું એક રહસ્યમયી પાનું ખુલ્લું કરતા કહ્યું છે કે તેમણે જીવનમાં બે વાર એકદમ નજીકથી મોત જોયું છે.
ગૌતમ અદાણીએ એક રહસ્ય પરથી ઉઠાવ્યો પરદો
કહ્યું કે જીવનમાં બે વાર મોત જોયું છે
1997ની સાલમાં મારુ અપહરણ થયુ હતું
26-11ના મુંબઈ હુમલો વખતે તાજમાં ફસાયો હતો
ગૌતમ અદાણીએ શનિવારે એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં પોતાના અપહરણ અને 26/11ના મુંબઈ હુમલા સાથે જોડાયેલા આતંકની કહાની જણાવી હતી. ગૌતમ અદાણીએ કહ્યું કે, તેમણે પોતાના જીવનમાં મૃત્યુને બે વાર ખૂબ નજીકથી જોયું છે. પોતાના અપહરણ અંગે ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, "ખરાબ સમયને ભૂલી જવો વધુ સારું છે. હું દરેક પરિસ્થિતિને અનુકૂળ થાઉં છું.
1997માં અદાણીના અપહરણે લોકોને ચોંકાવ્યાં
ગૌતમ અદાણીએ કહ્યું કે 1997ની સાલમાં મારુ અપહરણ થયું હતું. અપહરણ થયાના બીજા જ દિવસે મને છોડી મૂકવામાં આવ્યો હતો. પરંતુ જે રાત્રે મારું અપહરણ કરવામાં આવ્યું હતું, તે દિવસે પણ હું શાંતિથી સૂઈ ગયો હતો. કારણ કે જે વસ્તુઓ હાથમાં નથી તેના વિશે વધારે ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી. તેમણે કહ્યું કે મને લાગે છે કે કોઈએ એવી બાબતની ચિંતા ન કરવી જોઈએ જે તેમના હાથમાં ન હોય.
26-11ના હુમલામાં મુંબઈની તાજ હોટલમાં ફસાયા હતા
ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકવાદી હુમલા દરમિયાન હું તાજ હોટલમાં હતો. દુબઈના એક મિત્ર સાથે તાજ હોટલમાં ડિનર માટે ગયો હતો. આતંકીઓ તેમની નજર સામે ફાયરિંગ કરી રહ્યા હતા. મેં તે ભયાનકતાને ખૂબ નજીકથી જોઈ હતી. અદાણીએ આ ઘટના અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, હોટલમાં ડિનર બાદ બીલ ચુકવ્યા બાદ મને આતંકી હુમલાની જાણ થઈ ગઇ હતી અને ત્યાર બાદ ગભરાટમાં રાત પસાર થઇ ગઇ હતી. જો અમે થોડી મિનિટો પહેલાં જ નીકળી ગયા હોત, તો કદાચ કંઈ પણ ખરાબ થઈ શક્યું હોત. હુમલાને પગલે આખી રાત મારે તાજ હોટલમાં પુરાઈ રહેવું પડ્યું હતું.
સવારે 7 વાગ્યા પછી જ્યારે કમાન્ડોનું સંપૂર્ણ રક્ષણ મળી આવ્યું ત્યારે તેઓ ત્યાંથી નીકળી શક્યા હતા.
બોલી લગાવ્યા વગર એક પણ બિઝનેસમાં પ્રવેશ કર્યો નથી
અદાણીએ કહ્યું કે અત્યાર સુધી અદાણી ગ્રુપે બોલી લગાવ્યા વગર કોઇ પણ બિઝનેસમાં પ્રવેશ કર્યો નથી. બંદર, હવાઈમથકો, પાવર હાઉસ અથવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, દરેક જગ્યાએ નિયમ હેઠળ કામ મળી આવ્યું છે. ગૌતમ અદાણીએ કહ્યું કે રાહુલ ગાંધી કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે, તેઓ પણ દેશની પ્રગતિ ઈચ્છે છે, ભલે તે ઉતાવળમાં બોલે, પરંતુ તેઓ વિકાસની વિરુદ્ધ નથી. તેમણે રાજસ્થાનમાં અદાણી પ્રોજેક્ટની પણ પ્રશંસા કરી છે.
રાહુલની નીતિઓ પણ વિકાસ વિરોધી નથી: ગૌતમ અદાણી
ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કેમ તેઓ માને છે કે વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા તેમની સામે ક્રોની કેપિટલિઝમના વારંવારના આક્ષેપો રાજનીતિની મોડસ ઓપરેન્ડીનો એક ભાગ છે. કોંગ્રેસ સત્તામાં ક્યાં છે તેનું ઉદાહરણ આપ્યું. કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં થયેલા રૂ. 68,000 કરોડના રોકાણનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, રોકાણ એ અમારો સામાન્ય વ્યવસાય છે. હું રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના આમંત્રણ પર રોકાણકારોની સમિટ માટે પણ ત્યાં ગયો હતો. બાદમાં રાહુલ ગાંધીએ પણ રાજસ્થાનમાં અમારા રોકાણની પ્રશંસા કરી. હું જાણું છું કે, રાહુલની નીતિઓ પણ વિકાસ વિરોધી નથી.