ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્પિનર હરભજન સિંહે હાલમાં જ એક મોટું નિવેદન આપ્યું છે. તેણે 14 વર્ષ પહેલા કરેલી ભૂલ બદલ માફી માંગી હતી. હરભજને ફાસ્ટ બોલર એસ શ્રીસંતને મેદાન પર થપ્પડ મારી હતી.
હરભજન સિંહે 14 વર્ષ પહેલા કરેલી ભૂલ માટે માફી માંગી
મેચ હાર્યા બાદ હરભજન સિંહે એસ શ્રીસંતને મેદાન પર થપ્પડ મારી હતી
IPL મેચમાં ત્યાર પછી હરભજન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો
હરભજન ઘણી વાર ચર્ચામાં રહી ચુક્યો છે
ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્પિનર હરભજન સિંહ ભારતના સૌથી સફળ બોલરમાંથી એક છે. હરભજન સિંહ પોતાની રમતની સાથે સાથે ઘણા વિવાદોને કારણે પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. હરભજન સિંહે હાલમાં જ 14 વર્ષ પહેલા કરેલી ભૂલ માટે માફી માંગી છે. હરભજનની આ ભૂલે રમતની ભાવનાને મજાક ઉડાવી રાખી દીધી હતી.
14 વર્ષ પહેલા ભજ્જીએ કંઈક આવું કર્યું હતું
આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી. પહેલી જ સિઝનમાં હરભજન સિંહ આઈપીએલના સૌથી મોટા વિવાદોમાંથી એકનો ભાગ રહ્યો છે. હરભજને ફાસ્ટ બોલર એસ શ્રીસંતને મેદાન પર થપ્પડ મારી હતી. મેચ હાર્યા બાદ હરભજન સિંહે ગુસ્સામાં આવું કર્યું હતું. થપ્પડની આ ઘટનાને કોઈ ભૂલી શક્યું નથી. તેણે હાલમાં જ આ ઘટના પર અફસોસ વ્યક્ત કર્યો છે અને 14 વર્ષ બાદ પોતાની ભૂલ સ્વીકારી છે.
If I have to correct one mistake, it was how I treated Sree on the field after that IPL match - Bhajji on slapping Sree in 2008 after the Mumbai vs Punjab match at Mohali. #BhajjiBoleSorrySree at @glance Live Fest pic.twitter.com/VMz8Y20ZmV
હરભજન સિંહે પોતાની ભૂલ સ્વીકારી
આઇપીએલની આ સિઝનમાં હરભજન સિંહ મુંબઇ ઇન્ડિયન્સનો અને એસ શ્રીસંત કિંગ્સ ઇલેવન પંજાબનો હિસ્સો હતા. આઇપીએલની આ ઘટના બાદ હરભજન સિહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે પછી તેના પર પાંચ વન ડેનો પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો. હરભજન સિંહે ગ્લાન્સ લાઇવ ફેસ્ટ પર વાત કરતા કહ્યું કે, "જે થયું તે ખોટું હતું. મારાથી ભૂલ થઈ ગઈ. મારા કારણે મારી ટીમના સાથીને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડયો હતો અને મને પણ શરમ આવી હતી. જો મને કોઈ ભૂલ સુધારવાની તક મળશે તો મેદાન પર મેં એસ.શ્રીસંત સાથે આવું જ વર્તન કર્યું હતુ. એવું ન થવું જોઈતું હતું."
શ્રીસંતનાં સમયે 2 વર્લ્ડ કપ જીત્યા
એસ શ્રીસંત ભારતના ફાસ્ટ બોલરોમાંના એક છે. તે 2007 અને 2011ના વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો હિસ્સો હતો. આઇપીએલમાં તે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો હતો. તેણે 27 ટેસ્ટ મેચ ઉપરાંત ભારત માટે 53 વન ડે અને 10 ટી-20 રમી છે. જેમાં તેના નામે 169 વિકેટ છે. એસ શ્રીસંતે પણ આઈપીએલમાં 44 મેચ રમી છે.