વડોદરા: સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સીના અધિકારી ફરજ પર હાજર થયા બાદ પોતાની ફરજમાં અનિયમિત રહેતા તેમને કારણ દર્શક નોટિસ મળી હતી. 22મી સપ્ટેમ્બર 2017ના રોજ ફરજ પર હાજર થયા બાદ આ એજન્સીના અધિકારી રમેશચંદ્ર ફેફર માત્ર 16 જ દિવસ હાજર રહેતા અને પોતાનું મનસ્વી વર્તન દાખવતા તેમને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી.
જેના પગલે રમેશચંદ્ર ફેફરે હાસ્યાપદ જવાબ આપતા પોતાને ભગવાન વિષ્ણુનો દશમો અવતાર ગણાવ્યો હતો.
તેમણે જવાબમાં એવું પણ કહ્યું કે હું ફિફ્થ ડાયમેન્શન એટલે કે તુરીયાતીત અવસ્થામાં રહીને સાધના કરીને વૈશ્વિક ચેતનામાં પરિવર્તનનું કાર્ય કરૂ છું. આ કાર્ય ઓફિસમાં બેસીને કરી શકું નહીં માટે ઓફિસમાં ભૌતિક રીતે હાજર રહેતો નથી.