પાટણમાં ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ સહિત 45 ગ્રંથોનું ચાંદીની મુદ્રાથી પૂજન કરવામાં આવ્યું. પૂર્વ CM રૂપાણીની ઉપસ્થિતિ.
'ત્યાગીને ભોગવી જાણું'; પાટણમાં વિજય રૂપાણી
જૈન ધર્મના ધાર્મિક કાર્યક્રમમાં પહોચ્યા હતા પૂર્વ મુખ્યમંત્રી
સિદ્ધહેમ શબ્દાનુશાસન સહિત 45 ગ્રંથોનું પૂજન
પાટણના પંચાસરા જૈન દેરાસર પાસે આવેલા ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં બિરાજમાન જૈનાચાર્ય જયંતસેન સુરીજી મહારાજના શિષ્ય મુનિરાજ ચારિત્ર્ય રત્ન વિજયજીની નિશ્રામાં રવિવારે હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ સહિત 45 ગ્રંથોનું ચાંદીની મુદ્રાથી પૂજન કરવામાં આવ્યું. આ પૂર્વે સિદ્ધહેમ ગ્રંથની અંબાડી યાત્રા નીકળી હતી. આ ભક્તિભાવના પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રુપાણીએ જણાવ્યું કે, જૈન ધર્મમાં બાળપણથી જ ત્યાગ-સંસ્કાર આપવામાં આવે છે.આ જ કારણ છે કે મે એક ઘા એ મુખ્યમંત્રી પદ છોડી દીધું.
પાટણના સંઘના સાનિધ્યે જૈન સમુદાયના સાધુ-સાધ્વીજી ભગવંતો ત્રણ વર્ષથી પાટણમાં ધાર્મિક અધ્યયન કરી રહ્યા હતા. જેની અનુમોદના અર્થે સંઘ દ્વારા બે દિવસીય જ્ઞાનોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ વેળા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્રિસ્તુતિક ઉપાશ્રયથી શ્રી સિદ્ધહેમ ગ્રંથ ગ્રહણ કરી મહોત્સવ સ્થળે પહોંચ્યા હતા.