ઈમરાનખાન પર હુમલાને લઈને તેના સમર્થકો ગુસ્સામાં છે. પાકિસ્તાનનાં નાના-નાના શહેરોમાં કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાને કરી પ્રેસ કોન્ફરન્સ
મને ખબર હતી કે હુમલો થશે:ઈમરાનખાન
ઈમરાનખાને ઈમરજન્સી પાર્ટી કાર્યકરોની બેઠક બોલાવી
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાન પર ફાયરીંગ કરતા ગોળી વાગી હતી. ત્યારે તેમને સારવાર અર્થે ઈમરાનખાનન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયરીંગમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. પીટીઆઈ ચેરમેન ઈમરાનખાન પર ગોળીબારન વિરોધમાં પાકિસ્તાનના તમામ નાના-મોટા શહેરોમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. આ સિવાય અન્ય દેશોમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન પર ગોળીબારથી લોકો નારાજ છે. ઈમરાનખાન પર હુમલો કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પૂછપરછમાં તેણે જણાવ્યું છે કે તેણે ઈમરાનખાન પર કેમ ફાયરિંગ કર્યું.
પાક પીએમ શાહબાજ અને પૂર્વ પીએમ નવાઝે નિંદા કરી
પાકિસ્તાનના વડાપ્રધાન શાહાબાઝ શરીફે ઈમરાનખાન પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે હું પીટીઆઈ અધ્યક્ષ ઈમરાન ખાન પર ફાયરિંગની સખત નિંદા કરું છું. મેં ગૃહમંત્રીને આ ઘટના અંગે તાત્કાલિક રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો છે. આ ઘટનાની નિંદા કરતા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું કે હું ઈમરાન ખાન અને તેના સહયોગીઓ પર થયેલા ગોળીબારની નિંદા કરું છું અને ઘાયલોના સાજા થવાની પ્રાર્થના કરું છું.
عمران خان سے اظہار یکجہتی کیلئے اس وقت شوکت خانم لاہور کے باہر ہزاروں پاکستانی جمع ہیں اس کے علاوہ لاہور کلمہ چوک اور لبرٹی چوک پر بھی بڑے احتجاجی مظاہرے جاری ہیں۔#imrankhaninjuredpic.twitter.com/XY2msDbuBl
ગોળી વાગ્યા બાદ પણ ઈમરાને કહ્યું-હું લડાઈ ચાલુ રાખીશ
ગોળી વાગ્યા બાદ પણ ઈમરાનખાને કહ્યું કે અલ્લાહે તેને નવું જીવન આપ્યું છે. તેઓ લખે છે કે અલ્લાહે મને આ બીજું જીવન આપ્યું છે. ઈન્શાહઅલ્લાહ હું ફરી પાછો આવીશ, લડતો રહીશ.
ઈમરાનના સમર્થકોએ વિરોધ પ્રદર્શન કરી રસ્તો બંધ કર્યો
ઈમરાનખાન પર ગોળીબારના વિરોધમાં તેમના સમર્થકોએ પાકિસ્તાનના ડેરા ગાઝી ખાનમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યો હતો. ચારેય પ્રાંતને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો.
મોડી રાત્રે ઈમરાનના સમર્થકો હોસ્પિટલ પહોચ્યા
ઈમરાનખાન પર ફાયરીંગના સમાચાર વાયુ વેગે પ્રસરતા તેના હજારો સમર્થકો મોડી રાત્રે લાહોરની શૌકત ખાનમ હોસ્પિટલ પહોચી ગયા હતા. આ સિવાય લાહોરના કાલવા ચોક તથા એક લિબર્ટી ચોક પાસે પણ આ ગોળીબારના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યા હતા.
ڈیرہ غازی خان میں اس وقت شدید احتجاج جاری
چاروں صوبوں کے سنگم پل ڈاٹ قومی شاہراہ بند
امت مسلمہ کے عظیم لیڈر عمران خان پر بزدلانہ حملے کے خلاف احتجاج کیا جا رہا ہے۔ pic.twitter.com/DMq561s3nL
મને ખબર હતી કે હુમલો થશે: ઈમરાનખાન
પાકિસ્તાનનાં પૂર્વ પીએમ ઈમરાનખાને રાત્રે લગભગ 8 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કહી હતી. આ દરમિયાન તેણે દાવો કર્યો હતો કે તેને એક દિવસ પહેલા જ ખબર પડી ગઈ હતી કે તેના પર હુમલો થવાનો છે.