મહેન્દ્રસિંહ ધોની ભારતનાં સફળતમ કેપ્ટનમાં એક છે. હાલ તો તેઓ ક્રિકેટથી દૂર છે. હાલમાં જ એક કાર્યક્રમમાં ધોનીએ વર્લ્ડ કપમાં રનઆઉટ થવા મુદ્દે ખુલીને વાત કરી હતી. ધોનીએ કહ્યું કે તે ઘણી વખત પોતાની જાત કહેતા હોય છે કે 'ધોની તે ડાઈવ કેમ ન મારી'. ઉલ્લેખનીય છે કે વર્લ્ડકપની સેમીફાઈનલમાં ધોની માત્ર 2 ઇંચથી રનઆઉટ થયા હતા અને ભારત મેચ હારી ગયું હતું.
વર્લ્ડકપ સેમીફાઈનલ બાદ માહીને પસ્તાવો
એમ એસ ધોની તારે ડાઈવ લગાવી દેવાની હતી : ધોની
ધોનીનાં રનઆઉટ થયા બાદ કરોડો ભારતીયોનાં દિલ તૂટ્યા હતા
મહેન્દ્ર સિંહ ધોની ગયા વર્ષે વર્લ્ડ કપમાં રનઆઉટ થયા બાદ કરોડો ભારતીયોનાં દિલ તૂટ્યા હતા. માત્ર અમુક જ ઇંચથી આઉટ થઈ જવાથી ભારતનો વર્લ્ડ કપમાં સફર થંભી ગયો હતો. વર્લ્ડ કપની સેમીફાઈનલમાં મળેલી હાર બાદથી જ માહી મેચથી દૂર છે. પરંતુ સેમીફાઈનલમાં આઉટ થયા બાદ પહેલીવાર મહેન્દ્ર સિંહ ધોનીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ મુદ્દે દુઃખ વ્યક્ત કર્યું છે કે તેઓ ડાઈવ લગાવી શકતા હતા પરંતુ ડાઈવ ન લગાવી અને આઉટ થઇ ગયાં.
જાણો ધોનીએ શું કહ્યું
વર્લ્ડ કપ ગયાને ઘણો સમય વીતી ગયો છતાં હજુ ધોનીને તે વાતનો પસ્તાવો થઇ રહ્યો છે. ધોનીને હજુ વર્લ્ડકપ હારવાનો દર્દ હજુ પણ ધોનીને સતાવી રહ્યો છે. ધોનીએ કહ્યું કે 'હું હંમેશા મારી જાતને પૂછતો હોઉં છું કે મેં ડાઈવ કેમ ન લગાવી? માત્ર 2 ઇંચ દૂર હતો ધોની તારે ડાઈવ લગાવી દેવી જોઈતી હતી.' આ મેચ બાદથી જ ધોની ક્રિકેટથી દૂર છે. કોઈને પણ તેમના કરિયર વિશે જાણકારી નથી.
છેલ્લી બે ઓવરમાં 31 રનની જરૂર હતી
નોંધનીય છે કે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું જોરદાર પ્રદર્શન રહ્યું હતું. સેમીફાઈનલમાં જ્યારે તેમનો સામનો ન્યૂઝીલેન્ડથી થયો તો સારું પ્રદર્શન કરી શકી નહિ અને નિરાશા હાથ લાગી. મેચમાં એમ એસ ધોની અને રવીન્દ્ર જાડેજાએ પારી સંભાળવાના ખુબ પ્રયત્નો કર્યા હતા. છેલ્લી બે ઓવરમાં 31 રનની જરૂર હતી. ધોની જ્યાં સુધી ક્રીઝ પર હતા લોકોને આશા હતી કે ભારત જ મેચ જીતશે પરંતુ ગપ્ટીલનાં એક થ્રોનાં કારણે બધાની આશા પર પાણી ફરી ગયું અને ધોની રન આઉટ થઇ ગયાં. માત્ર 2 ઇંચથી આઉટ થઇને ધોની પવેલીયન આવ્યા હતા જે બાદથી ધોની એક પણ મેચમાં જોવા મળ્યા નથી.