ગાંધીનગરઃ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલ અને મોંઘવારીના ભાવ મુદ્દે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું તેને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ભાજપના નેતા આઈ કે જાડેજાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. જાડેજાએ કોંગ્રેસના બંધને નિષ્ફળ ગણાવ્યું હતું. તો હાર્દિક પટેલના આંદોનલ મુદ્દે I.K.જાડેજાએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલ અનામતનો મુદ્દો ભૂલી ગયો છે અને કોંગ્રેસ દ્વારા તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. લોકશાહીમાં કોઇપણ આંદોલન કરી શકે છે. કોંગ્રેસ સમાજ-સમાજ વચ્ચે વાડા ઉભા કરી રહી છે.
કાર્યાલયમાં કાર્યકર્તા પ્રવેશ બાબતે I.K.જાડેજાનુ નિવેદન
તેમણે કહ્યું કે કાર્યાલયમાં હાલ કામ ચાલી રહ્યું છે. ગીરીશ પરમારની એન્ટ્રી બાબતે મુદ્દો ટ્વિસ્ટ કરાયો છે. શહેરના અધ્યક્ષે કોઈ સૂચના નથી આપી. પાણીમાંથી પોરા કાઢવાનું કામ કરી રહ્યા છે.
કોંગ્રેસના ભારત બંધ મુદ્દે I.K.જાડેજાનુ નિવેદન
ભારત બંધ મુદ્દે જાડેજાએ કહ્યું કે પેટ્રોલ ડિઝલ ભાવ મુદ્દે સરકાર ચિંતિત છે. કોંગ્રેસ રાજકીય રોટલા શેકવા બંધનુ એલાન આપ્યુ છે. કોંગ્રેસ દ્વારા અપાયેલુ એલાન નિષ્ફળ ગયુ. ગુજરાતના લોકો કોંગ્રેસ સાથે નથી. અન્ય દેશોની પરિસ્થિતિના કારણે ભાવ વધ્યા. જીએસટી માટે અલગ ઓથોરિટી નક્કી કરાઈ છે. મોદી સરકારમાં ભાવ સ્થિર રહ્યા છે. સરકાર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરશે.