અક્ષય કુમારે ફિલ્મ 'હેરા ફેરી 3' ફિલ્મની ઑફર ઠુકરાવી દીધી હતી અને પરેશ રાવલે આ સમગ્ર વિવાદ પર પ્રતિક્રિયા આપતા એમ કહ્યું હતું કે આ બધાથી તેમને કોઈ ફરક નથી પડતો.
અક્ષય કુમારે ફિલ્મ 'હેરા ફેરી 3' ફિલ્મની ઑફર ઠુકરાવી દીધી
પરેશ રાવલે પ્રતિક્રિયા આપતા કહ્યું આ બધાથી મને કોઈ ફરક નથી પડતો
સુનીલ શેટ્ટીએ આપી હતી આવી પ્રતિક્રિયા
બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ 'હેરા ફેરી 3' બનાવવાની ચર્ચાઓ હાલ ઘણી હોર પકડી રહી છે પણ એવામાં એક ચોંકાવનારી વાત સામે આવૈ હતી કે અક્ષય કુમારે આ ફિલ્મની ઑફર ઠુકરાવી દીધી છે.આ વિશે વાત કરતાં અક્ષયે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેણે આ ફિલ્મ કરવાની કેમ ના પાડી હતી. એમને જણાવ્યું હતું કે નિર્માતાઓ સાથે ક્રિએટિવ ડિફરન્સને કારણે ફિલ્મની ઓફર નકારી હતી. અને એવું પણ જાણવા મળ્યું હતું કે કાર્તિક આર્યન હવે અક્ષય કુમારને રિપ્લેસ કરશે અને આ વાતની પુષ્ટિ પરેશ રાવલે પણ કરી હતી.
જો કે આ પછી જ્યારે સુનીલ શેટ્ટીને અક્ષય કુમાર ફિલ્મ નથી કરી રહ્યા આ વિશે જાં થઈ તો તેઓ ચોંકી ગયા હતા અને એમને કહ્યું કે આ ફિલ્મ અક્ષય વગર બની શકે તેમ નથી. કાર્તિક અને અક્ષય બંનેની ભૂમિકા હશે અને નિર્માતાઓ સાથે બેસીને તેના વિશે વાત કરશે. હવે પરેશ રાવલે પણ આ સમગ્ર વિવાદ પર પ્રતિક્રિયા આપતા એમ કહ્યું હતું કે આ બધાથી તેમને કોઈ ફરક નથી પડતો.
પરેશ રાવલે કહી આવી વાત
એક ઇંટરવ્યૂ દરમિયાન પરેશ રાવલે કહ્યું હતું કે, "ઘણા એક્ટર્સ ક્રિએટિવ ડીસીઝન્સમાં પોતાને પાછળ રાખે છે કારણ કે તે સંપૂર્ણપણે નિર્માતાઓ પર નિર્ભર કરે છે. દર્શકોને કંઈક નવું મળશે હેરા ફેરી 3 માં. મેકર્સનો નિર્ણય છે કે તેઓ આ ફિલ્મ દ્વારા કોને પાછા લાવા માંગે છે અને કોમર્શિયલ સેન્સના આધારે કોને ફિલ્મ ઓફર કરવી તે નિર્માતાઓ, લેખકો અને દિગ્દર્શકો પર નિર્ભર છે. હું આ વિશે વિચારતો નથી, ફક્ત મારા ક્રાફ્ટ પર ફોકસ કરવામાં માનું છું. ફિલ્મમાં કોણ છે અને કોણ નથી તેનાથી મને કોઈ ફરક નથી પડતો."
સુનીલ શેટ્ટીએ આપી હતી આવી પ્રતિક્રિયા
જણાવી દઈએ કે સુનિલ શેટ્ટી 'હેરા ફેરી 3'માં નવા અપડેટથી થોડો નારાજ હતો. તેણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે હું તેના વિશે સાંભળીને ખુશ નથી. અમે 14 વર્ષ વનવાસ કાપ્યો છે અને એ પછી પણ મુશ્કેલીઓ આવે તો ખરાબ લાગે. અમારે બેસીને વાત કરવી પડશે, આપણે બધા સમજદાર છીએ અને શાંતિથી વાત કરીને સમાધાન આવી શકે છે.' આગળ એમને કહ્યું હતું કે "હું ફિલ્મ માટે કમિટેડ છું અને કમિટેડ રહીશ. જોઈએ કે આગળ શું થાય છે. હું 20 નવેમ્બર પછી તેની સાથે વાત કરીશ. જ્યાં સુધી મને ખબર છે, અમે ત્રણેય ફિલ્મ માટે કમિટેડ હતા. હું, અક્ષય અને પરેશ જી. કાર્તિક આર્યન રાજુનું પાત્ર ભજવી રહ્યા નથી. તેનું પાત્ર સંપૂર્ણપણે અલગ હશે અને ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છું."