મોદી સરકારના કામકાજની ટીકા કરવા માટે પંકાયેલા ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એક વાર ઈકોનોમીના મુદ્દે કેન્દ્ર પર પસ્તાળ પાડી છે.
ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ઈકોનોમી પર ચિંતા વ્યક્ત કરી
સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું
કોરોનાએ ઈકોનોમીને ખૂબ ઈજા કરી, લોકડાઉનથી આર્થિક ગતિવિધિઓ મંદ પડી
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીનેજણાવ્યું કે કોરોનાએ ઈકોનોમીને ખૂબ ઈજા પહોંચાડી છે તથા લોકડાઉનથી આર્થિક ગતિવિધિઓ મંદ પડી છે.
Nowadays I get phone calls even from shop keepers asking me to suggest to Modi how to get out the current economic mess. I told them a horse can be taken to water but how to make it drink? I have written 12 letters to Modi on how to fix the economy but only acknowledged no action
સ્વામીએ ટ્વિટ કરીને લખ્યું કે આજકાલ મને દુકાનદારો ફોન કરીને જણાવે છે કે હું ઈકોનોમીને હાલના સંકટમાંથી બહાર કાઢવા માટે મોદીને સલાહ આપું. મેં ફોન કરનારને કહ્યું કે ઘોડાને કૂવા સુધી તો લઈ જવાય છે પરંતુ તેને પાણી કેવી રીતે પીવડાવવું. એ તો ઘોડાની ઈચ્છા હોય તો પાણી પીએ. ટ્વિટમાં સ્વામીએ લખ્યું કે ઈકોનોમીને સંકટમાંથી બહાર કાઢવા માટે મેં મોદીને 12 પત્ર લખ્યા, આ પત્ર તેમના સુધી પહોંચ્યા પણ હતા પરંતુ તેની પર કોઈ અમલ કરાયો નથી.