પંજાબ કોંગ્રેસને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમા સિદ્ધુ ફરીથી કોંગ્રેસમાં ફૂલ એક્શન મોડમાં આવ્યા છે અને પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે.
2017માં બે મુદ્દા પર જૂની સરકાર ગઇ અને નવી આવી-સિદ્ધુ
નવા એડવોકેટ જનરલ બનતા જ હું કોંગ્રેસ કાર્યાલયે જઇને ચાર્જ સંભાળીશ-નવજોતસિંહ સિદ્ધુ
પંજાબમાં છેલ્લા કેટલાય મહિનાથી કોંગ્રેસની અંદર ખૂબ ભયંકર કકળાટ ચાલી રહ્યો છે. રાજ્યમાં પહેલા સિદ્ધુ અને રાજ્યના તે સમયના મુખ્યમંત્રી અમરિન્દર સિંઘ વચ્ચે ખૂબ ઘર્ષણ જોવા મળ્યું જે હાઇકમાન્ડ માટે માથાનો દુખાવો સાબિત થયું હતું. જોકે તે બાદ હાઇકમાન્ડ સિદ્ધુનાં કહેવાય પર અમરિન્દર સિંઘને પદ પરથી કાઢી મૂક્યા, જોકે સિદ્ધુ નવા મુખ્યમંત્રી ચન્નીથી પણ ખુશ નથી, આ જ કારણે તેમણે થોડા દિવસ પહેલા પંજાબ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું હતું, જોકે હવે એ રાજીનામું પાછું ખેંચી લીધું છે.
"I have withdrawn my resignation (as Punjab Congress chief)" said Navjot Singh Sidhu in Chandigarh pic.twitter.com/Ob6NdHHXVT
સિદ્ધુએ શુક્રવારે કહ્યું કે મેં રાજીનામું પરત લઈ લીધું છે, તેમણે કહ્યું કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના આ સિપાહીએ પોતાનું રાજીનામું પાછું લઈ લીધું છે. નવા AG અને DGPની રચના કરી દેવામાં આવે તે પછી હું ફરીથી પાર્ટીનું કામકાજ સંભાળી લઇશ.
There's nothing personal. I speak to him for the state. I speak to him for all the good that can be done for the state. I have no differences with Charanjit Channi, not at all. Whatever I do is for Punjab. I stand for Punjab. Punjab is my soul. That's the goal: Navjot Singh Sidhu pic.twitter.com/LUbPyKocG8
ચન્ની સરકાર પર નવજોતસિંહ સિદ્ધુએ ઉઠાવ્યા સવાલ
નોંધનીય છે કે સિદ્ધુએ રાજીનામું ભલે પાછું લીધું હોય પણ કામ કરવા નથી માંગતા, તેમણે કહ્યું વર્તમાન પોતાની જ પાર્ટીની સરકાર સામે શિંગડા ભરાવતા કહ્યું કે જે IPS પર ગંભીર આરોપો હોય તે ડીજીપી કઈ રીતે રહી શકે? સિદ્ધુએ કહ્યું બાદલ પરિવારનાં પ્રિય અધિકારી કોંગ્રેસ સરકારમાં મોટા મોટા પદો પર કઈ રીતે રહી શકે છે. આ બે અધિકારી હોય તો હું કયા મોઢે કાર્યકર્તાઓની વચ્ચે જાઉ?
During the last 4.5 yrs, I've raised many issues such as liquor, buses, etc. CM had centralized power but didn't take any action. I don't have any greed for a post but I only fight for Punjab's people's rights. I'll make Congress win 80-100 seats in 2022 polls: Navjot Singh Sidhu pic.twitter.com/oqlopJ54Ro
50 દિવસમાં ચન્ની સરકારે શું કર્યુ?-સિદ્ધુ
સિદ્ધુએ નામ લીધા વિના પોતાની જ સરકાર પર હુમલા કરતાં કહ્યું કે આજે બે જ રસ્તા છે, કાં તો તમે લોલીપોપ આપીને સરકાર બનાવો અથવા તો પછી કલ્યાણકારી કામ કરીને સરકાર બનાવો. સરકાર ડ્રગ્સનો રિપોર્ટ હાઇકમાન્ડને આપી દે, હું તેને જાહેર કરી દઇશ. વીજળીના ભાવ આટલા વધારે કેમ છે? કોણ કમિશન ખાઈ રહ્યું છે? વ્હાઇટ પએપર લાવો જેથી જનતાને ખબર પડે કે કોણે શું શું કર્યું છે?