BJPના ભરૂચના સાંસદ મનસુખ વસાવા રાજીનામાં આપી દેતા આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મનસુખ વસાવાને લઈને કહ્યું મે કાર્યકર્તાઓ માટે મનસુખ ભાઈને ઝઝુમતા જોયા છે
ભરૂચના સાંસદ મનસુખ વસાવા પર પાટીલનું નિવેદન
કાર્યકર્તાઓ માટે મનસુખભાઈ કુહાડી પર પગ મુકે એમ છે
મે કાર્યકર્તાઓ માટે મનસુખ ભાઈને ઝઝુમતા જોયા છે- પાટીલ
સાંસદ મનસુખ વસાવા વિશે પાટીલ શું બોલ્યા?
ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાને લઇને સી.આર.પાટીલે નિવેદન આપતાં કહ્યું કે, મનસુખ ભાઈને ઝઝુમતાં જોયા છે. તેમણે ઉમેર્યું કે, લોકો પગ પર કુહાડી મારે છે. પરંતુ કાર્યકર્તાઓ માટે મનસુખભાઈએ કુહાડી પર પગ મુકે છે. એટલે ખામીઓ સાથે પણ એ મારા મિત્ર છે. અને ખામીઓ છે કે તે બધુ બોલી દે છે. અમારા તો સિનિયર છે એટલે કે, કંઈ કહેવાય નહી. ભલે ને હું પ્રમુખ છું. અમે રોટલા સાથે ખાતાં હતાં. ટ્રેનમાં સાથે જતાં હતાં. એ મારા રોટલાનો મિત્ર છે.
સાંસદ મનસુખ વસાવાએ રાજીનામાં આપી દેતા બીજેપીમાં ભૂકંપ સર્જાયો
બીજેપીના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખી રાજીનામાં આપી દેતા બીજેપીમાં ભૂકંપ સર્જાયો હતો. બીજી તરફ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ઘી ના ઠામ માં ઘી રેડાશે. ઉલ્લેખનીય છે કે, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પત્ર લખી ને કહ્યું હતું કે, પક્ષે ઘણું આપ્યું છે પણ તેના કારણે પક્ષને વધારે નુકસાનના થાય તેના માટે તે રાજીનામું આપી રહ્યા છે. આગામી બજેટ સત્ર દરમિયાન તે સ્પીકર ને મળીને રાજીનામુ આપશે.