'મારી પાસે કેટલાક લોકોને ફોન આવ્યા હતા, જેમાં વચેટીયા પૈસાની માગણી કરતા હોવાનું કેટલાક લોકોએ જણાવ્યું હતું'.આવા વચેટીયાઓનો કેસ્,મહેસૂલ મંત્રી ગૃહ વિભાગની મદદ લઇ નીપટાવી શકે છે
મહેસૂલ વિભાગના વચેટીયાઓની ખેર નથી
મંત્રીએ કહ્યું,ગૃહ વિભાગની લઈશુ મદદ
મહેસૂલ વિભાગના વચેટીયાઓ સામે લાલ આંખ
સરકારી કામકાજમાં અરજદારો પાસેથી કેટલાક વચેટીયાઓ પૈસાની માંગણી કરતા હોવાની સીધી રાવ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસે પહોચતા,મહેસૂલ મંત્રી રાતા-પીળા થઇ ગયા છે.મહેસૂલ મંત્રીએ સાફ શબ્દોમાં કહ્યું કે, મારી પાસે કેટલાક લોકોને ફોન આવ્યા હતા, જેમાં વચેટીયા પૈસાની માગણી કરતા હોવાનું કેટલાક લોકોએ જણાવ્યું હતું. આવી ફરિયાદ વાજબી છે જ્યારે,અગાઉ મહેસૂલ મંત્રી કહી ચુક્યા છે કે, કોઈ પણ વચેટીયો પૈસાની માંગણી કરે તો મને સીધો ફોન કરજો. હવે, આવા વચેટીયાઓનો મામલો,મહેસૂલ મંત્રી ત્રિવેદી ગૃહ વિભાગની મદદ લઇ નીપટાવી શકે છે.તેમણે કહ્યું છે કે, જરૂર પડ્યે ગૃહ વિભાગની મદદ લેવામાં આવશે. અને પૈસાની માંગણી કરતા લોકો સામે પોલીસની મદદથી કાર્યવાહી કરીશું.
મહેસૂલ મંત્રી એક્શનમાં
મહેસુલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર રોકવા માટે મહેસુલ મંત્રી એક્શનમાં આવ્યા છે. રાજ્ય વ્યાપી ફરિયાદો આધારે મહેસુલ મંત્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણયમાં રાજ્ય કક્ષાની કમિટી બનાવવામાં આવશે. આ કમિટી જિલ્લાની કોઈ પણ કલેકટર કચેરીમાં ઓચિંતી મુલાકાત લેશે. જેમાં કમિટીની મુલાકાત દરમિયાન ઝડપાયેલા અધિકારી અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે
પૈસા લેવાતા હોય તો મોકલો વિડીઓ
મહેસુલ મંત્રીએ જનતાને અપીલ કરી હતી કે, સરકાર ક્યાંય પણ ખોટું ચલાવી લેશે નહીં: ક્યાંય પણ ખોટું થતું હોય કે નાણાં લેવાતા હોય તો ખૂફિયા વિડીયો ઉતારી સરકાર મદદરૂપ થવાનું કહ્યું હતું..રાજ્યના નાગરિકોને અપીલ કરતા કહ્યું કે રાજ્ય સરકાર પારદર્શી વહિવટ માને છે જ્યારે પણ ખોટું થતું હોય કે પછી જનસેવા માટે ક્યાં નાણા લેવાતા હોય તો તે પ્રક્રિયાનો વિડીયો ઉતારીને મંત્રી કાર્યાલય ખાતે મોકલવામાં આવે. જેથી કરીને તુરંત કાર્યવાહી કરી શકાય. મહેસુલ વિભાગ કોઈપણ વ્યક્તિને બક્ષવા માંગતા નથી. ક્યાંય પણ ખોટું થતું હશે તો અમે ચલાવી લેશું નહીં. આ માટે નાગરિકો અને મીડિયા કર્મીઓને પણ સહયોગ આપવા અપીલ કરી છે.
ફરિયાદોનો કરો ત્વરિત નિકાલ
મહેસુલી સેવાઓમાં જે ફરિયાદો અત્રે મળે છે..ત્વરીત નિકાલ થાય અને લોકોને ઝડપથી સેવાઓ મળી રહે એ માટે સરકાર આયોજન કરશે. તેમાં જે અધિકારી-કર્મચારીઓ હશે અને એમના કારણે કોઇ ક્ષતિ જણાતી હશે તો તેમની સામે પણ વિભાગીય પગલા લેવાશે.