નુસરત ભરુચાની આગામી ફિલ્મ 'જન હિત મે જારી' 10 જૂને રિલીઝ થાવની છે ત્યારે લોકોમાં કોન્ડોમ વિશે જાગૃતિ ફેલાવવા માટે અપીલ કરે છે અને પોતાના અનુભવો બધા સામે શેર કાર્ય
નુસરત ભરૂચા દેખાશે આગમી ફિલ્માં એક સેલ્સવુમેન તરીકે
નુસરત ભરુચાની ફિલ્મ 'જન હિત મે જારી' 10 જૂને રિલીઝ
ફિલ્મમાં એક કોન્ડોમ સેલ્સ ગર્લ્સ
નુસરત ભરુચાની ફિલ્મ 'જન હિત મે જારી' 10 જૂને રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ એક મેસેજ સાથે કોમેડી ડ્રામા છે. નુસરત આ ફિલ્મમાં કોન્ડોમ વેચનાર સેલ્સ ગર્લ બની છે. ફિલ્મનું ટ્રેલર ચર્ચામાં રહ્યું છે. હવે તેનું એક નિવેદન હેડલાઇન્સમાં આવ્યું છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, જ્યારે તેને પહેલી વાર કોન્ડોમ વિશે ખબર પડી ત્યારે તેના પર કેવું રિએક્શન હતું. નુસરતે જણાવ્યું કે તેના માતાપિતાએ આ વિશે તેને જણાવ્યું હતું અને તે સિચ્યુએશન તેના માટે સરળ નહોતી. નુસરતે જણાવ્યું કે આ વિશે મારા માતાપિતાએ સમજાવ્યું હતું અને એ જ લીધે હું ખુદને ભાગ્યશાળી પણ માનું છું.
સ્કુલમાં ભણાવવામાં આવ્યું
નુસરત ભરૂચા તેની આગામી ફિલ્મને લઈને ઉત્સાહિત છે. આ ફિલ્મમાં તે કોન્ડોમ સેલ્સ ગર્લ બની છે. આ ફિલ્મ મેસેજ સાથે છે અને તેમાં કોમેડી પણ ખુબ છે. નુસરત ભરૂચા એ જણાવ્યું હતું કે કેવી રીતે તેને પહેલી વાર કોન્ડોમ વિશે ખબર પડી હતી. નુસરત કહે છે, "મને લાગે છે કે હું નસીબદાર છું કે સ્કૂલમાં જ અમને બાયોલોજી અને સેક્સ એજ્યુકેશનના ચેપ્ટર શીખવવામાં આવ્યા હતા. સ્કૂલમાં વાતચીત થતી હતી, જે ઘણી સ્કૂલોમાં નહોતી થતી. તેથી શાળા એ પહેલું સ્થાન હતું જ્યાં મને કોન્ડોમ વિશે જાણવા મળ્યું.
પેરેન્ટ્સે પણ સપોર્ટ કર્યો
નુસરતે કહ્યું કે ઘરે પણ મારા માતા-પિતાએ મને આ વિશે વાત કરી હતી. મને સમજાતું નહોતું કે તેઓ શું કહી રહ્યા છે, હું એકદમ સ્તબ્ધ હતી, તમે લોકો શું કહો છો? તેઓએ મને એક જ દિવસમાં બધું કહ્યું નહીં. તેઓ જણાવતા રહ્યા અને એક સમયે સંદેશ મનમાં બેસી ગયો. પછી મને સમજાયું કે તે શું છે અને શા માટે છે. દેખીતી રીતે જ, તેના વિશે ઘણા પ્રશ્નો બાકી હતા. તે સ્પષ્ટ રીતે કહી શકતા ન હતા કે ન તો ડેમો બતાવી શકે એમ હતા. પરંતુ તેણે સામાન્ય રીતે જેટલું કહી શકાય તેટલું કહ્યું.