ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મીડિયા સાથે વાતચીત કરતા ચોંકવનારું નિવેદન આપ્યું છે. જેમા તેંમણે કહ્યું કે જે લોકો જય શ્રી રામ નથી બોલતા તેમના DNA પર મને શંકા છે.
યોગી આદિત્યનાથનું ચોંકવાનારું નિવેદન
જે લોકો જય શ્રી રામ નથી બોલતા તેમના DNA પર મને શંકા
પહેલાની જેમ હવે ઉત્તરપ્રદેશમાં તોફાન નથી થતા : CM યોગી
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે મીડિયા સાથે વાતચીત કરી. જેમા ઘણા મુદ્દે તેમણે મીડિયા સામે ખુલીને વાત કરી હતી. જોકે આ વાતચીતમાં જય શ્રી રામ શબ્દના મુદ્દાને લઈને પણ સવાલો કરવામાં આવ્યા હતા. જેના જવાબો યોગી આદિત્યનાથે તેમનાજ અંદાજમાં આપ્યા હતા.
DNA પર શંકા
CM યોગીએ કહ્યું કે મને નથી લાગતું કે ઉત્તરપ્રદેશના કે પછી કોઈ પણ રાજ્યના વ્યક્તિને જય શ્ર રામ બોલવામાં તકલીફ હોય. સાથેજ તેમણે કહ્યું રામ આપણા પૂર્વજ હતા. જે વાત પર આપણાને ગર્વ થવો જોઈએ. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે લોકો મારી આ વાતને નથી માનતા તેમના DNA પર મને થોડી શંકા છે.
દરેક ધર્મના ગુરુઓને મળવાનો ઉલ્લેખ
સમગ્ર મામલે તેમને મીડિયા દ્વારા ઘણા સવાલો કરવામાં આવ્યા. જેમા એક મહત્વનો સવાલ એ પણ કરવામાં આવ્યો કે ઘણા લોકોને હજુ પણ ડર લાગી રહ્યો છે. સાથેજ તેઓ સુરક્ષીત નથી તેવું તેમનું કહેવું છે. જેના જવાબમાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં હું દરેક ધર્મના ગુરુઓને મળ્યો છું. તેમની વતોને હું ઘણા ધ્યાનથી સાંભળું છું. તેઓ ઘણી સારી વાતો કરતા હોય છે.
પહેલાની જેમ ધમાલ હવે નથી થતી
મુ્ખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે આજે ઉત્તરપ્રદેશનો દરેક વ્યક્તિ સ્વીકારે છે કે હવે રાજ્યમાં તોફાન થી થતા. જ્યારે પહેલા ઘણા તોફાન થતા હતા. સાથેજ તેમમે કહ્યું કે એક પક્ષનો વ્યક્તિ પર હુમલો થાય ત્યારે બીજો પક્ષ તેનો વળતો જવાબ આપે છે. પરંતુ હવે કોઈ પણ વ્યક્તિ હુમલો કરતો઼જ નથી જેથી તોફાન નથી થતા.
ચૂંટણીની તડામાર તૈયારીઓ
ઉલ્લેખનીય છે. ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી છે. જેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તાજેતરમાંજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પણ ઉત્તરપ્રદેશના પ્રવાસે ગયા હતા. જ્યા તેમણે એવું કહ્યું હતું કે યુપીમાં ભાજપની પ્રચંડ જીત થશે અને વિપક્ષને કરારી હાર મળવાની છે.