શનિવારે રાજકોટ પહોંચેલા ભાજપ પ્રદેશ પ્રમુખની પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને ખોડલધામ 'નરેશ' સાથે મુલાકાત. વજુભાઈએ કહ્યું જૂથવાદ નથી.તો પાટીલે પટેલને કહ્યું 'કેસ પાછા ખેંચાશે.
ભાજપ પ્રદેશ પ્રમુખની રાજકોટ મુલાકાત
વજુભાઈ વાળા-નરેશ પટેલ સાથે બેઠક
રાજકોટમાં કોઈ જૂથવાદ નહિ- વજુભાઈ વાળા
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ શનિવારે રાજકોટ -જામનગરની મુલાકાતે હતા.સવારે જ એરપોર્ટ પર કાર્યકરોના ધાડા,પાટીલને સત્કારવા ઉમટયા હતા. પ્રદેશ પરમુખ પાટીલે રાજકોટમાં ગુજરાતના પૂર્વ નાણા મંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સાથે શુભેછા મુલાકાત કરી આશીર્વચન માંગ્યા હતા. એક તબક્કે પાટીલે વજુભાઈને તેમના સ્વાસ્થ્યના ખબર-અંતર પૂછતા,શ્રી વાળાએ પોતાના ચીર-પરિચિત અંદાજમાં કહ્યું હતું, ' ઈ...કરીને હમણાં મગજ હલાવવાનો નથી એટલે પગ હલાવું છે' વજુભાઈનો આ અંદાજ જોઈ-સાંભળીને સ્થાનિક નેતાઓ સાથે પાટીલ પણ હસી પડ્યા હતા.
ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ,શ્રી પાટીલને કહ્યું હતું કે, રાજકોટ ભાજપમાં કોઈ જૂથવાદ નથી. કાર્યકર્તાઓ એક છે અને રહેવાના છે. છેલ્લા એકાદ સપ્તાહથી રાજકોટ ભાજપમાં આંતરિક ચારુ ઉકળતો હોવાની વાત વહેતી થઈ હતી. ખાસ કરીને,'સ્નેહ મિલન'સમારોહમાં રાજ્યસભા સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી વચ્ચે મંચ પર થયેલા સંવાદ બાદ, રાજકોટ ભાજપ માટે 'જેટલા મોં,એટલી વાત' થવા લાગી હતી. વજુભાઈ વાળા અને પ્રદેશ પ્રમુખ પાટીલે,કથિત જૂથવાદનો છેદ ઉડાડ્યો હતો અને કહ્યું હતું કે, વિજય રૂપાની પાર્ટીના સ્ટાર પ્રચારક છે.
ખોડલધામ 'નરેશ'ને મળતા પાટીલ
રાજકોટમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે, ખોડલ ધામના અગ્રણી અને પાટીદાર સમાજસેવી નરેશ પટેલના ઘરે જઈને મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે, જસદણના એક પાટીદાર સમારોહમાં તમામ પાટીદાર અગ્રણીઓએ એક સૂરે માંગ કરી હતી કે, પાટીદારો સામે થયેલા કેસ પાછા ખેંચાવા જોઈએ. આ મુલાકાત દરમિયાન,શ્રી પાટીલે,નરેશ પટેલને કેસ પરત ખેંચાવા અંગે હૈયાધારણ આપી હોવાનું નરેશ પટેલે જણાવ્યું હતું. પાટીલ-પટેલ વચ્ચે બંધ બારણે યોજાયેલી આ બેઠકનો હેતુ કોઈ રાજકીય ના હોવાનો ઉલ્લેખ પણ નરેશ પટેલે કર્યો હતો. તેમણે એમ પણ ઉમેર્યું કે, પાટીદારો સામે કેસ ખેંચવાની વાતની મને જાણ હતી એટલે મે આભાર માન્યો છે