બોટાદ ખાતે પ્રચાર સભા સૌરભભાઈ વિશે બેફામ બોલ્યા બાદ વિરોધ ઉઠતાં સુરેશ ગોધાણીને માફી માંગવાની નોબત આવી હતી અને તેમણે એક વીડિયો બનાવી માફી માંગી છે.
બોટાદમાં પ્રચાર સભાનો વીડિયો વાયરલ થયા બાદ સુરેશ ગોધાણીએ માફી માગી
સૌરભભાઈ વિશે બોલતા સુરેશ ગોધાણીનો વીડિયો થયો હતો વાયરલ
એક વીડિયો જાહેર કરીને સુરેશ ગોધાણીએ માફી માગી
ગુજરાતમાં ચુંટણીને લઇને ઉમેદવારોનું પ્રચાર અભિયાન વેગવંતુ બની રહ્યું છે. ત્યારે બોટાદમાં પ્રચારસભાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં સૌરભભાઈ વિશે સુરેશ ગોધાણી આડેધડ બોલતા હતા. વીડિયો વાયરલ થયા પછી ગોધાણીનો કાર્યકરોએ મોટા પાયે વિરોધ કર્યો હતો. ત્યારબાદ વિરોધને લઇને સુરેશભાઇના સૂર બદલાયા છે. જેમને માફી માગી વીડિયો વહેતો કરી લોકોની માફી માંગી છે.
હું પાટીદાર સમાજ વિશે કશું બોલ્યો નથી :સુરેશ ગોધાણી
સભામાં બેફામ બોલ્યા બાદ હકીકતનું ભાન થતાં સુરેશ ગોધાણીએ માંફી માંગતો વિડીયો બનાવી સોશિયલ મીડીયા થકી વાયરલ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે વાયરલ વિડીયો મામલે મને કડવા પાટીદાર સમાજના આગેવાનોના ફોન આવ્યા હતા અને અમારા સમાજ વિશે ખરાબ બોલ્યા હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. તો આ મામલે સ્પષ્ટતા કરી તેમણે વધુમાં કહ્યું કે હું પાટીદાર સમાજ વિશે કશું બોલ્યો નથી. હું સભામાં એક વ્યક્તિની સામે જ બોલ્યો છું પણ પાટીદાર સમાજ વિરુદ્ધ હું કાઇ પણ બોલ્યો નથી. છતાં પણ પણ હું પાટીદાર સમાજની માફી માંગુ છું તેમ વિડીયોના અંતમાં કહ્યું હતું.