આરસીબીની મેચ પહેલા મહિલા ટીમની ખેલાડીઓને કહ્યું હતું કે, 'મારી કેપ્ટનશીપનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હતો ત્યારે મને મારા વિશ્વાસ નહોતો અને આ સમયે મારામાં 'જુસ્સો' પણ ઘટી ગયો હતો.
કોહલીએ આ કારણે RCBની કેપ્ટનશીપ છોડી હતી
WPL દરમ્યાન મહિલા RCB ટીમ સાથે કરી વાત
2020 થી થઈ હતી નિરાશાની શરૂઆત?
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021 સીઝન પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર RCBના કેપ્ટન પદેથી રાજીનામું આપવાના નિર્ણય પર કહ્યું હતું કે એ સમયે એમને પોતાનામાં'વિશ્વાસ ગુમાવ્યો હતો અને એ કામ માટે તેનામાં 'જુસ્સો' પણ ઘટી ગયો હતો. જણાવી દઈએ કે કોહલીની કપ્તાની હેઠળ, RCB ટીમ વર્ષ 2017માં અને 2019માં IPL ટેબલમાં સૌથી નીચે હતી. નોંધનીય છે કે કોહલીએ ભારતીય T20 ટીમની કમાન છોડ્યા બાદ 2021ની સિઝનમાં પણ RCBની કેપ્ટનશીપ છોડી દીધી હતી.
WPL દરમ્યાન મહિલા RCB ટીમ સાથે કરી વાત
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં યુપી વોરિયર્સ સામે આરસીબીની મેચ પહેલા મહિલા ટીમની ખેલાડીઓને કહ્યું હતું કે, 'એ સમયે જ્યારે મારી કેપ્ટનશીપનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હતો ત્યારે સાચું કહું તો મને મારા વિશ્વાસ નહોતો. આ સમયે મારામાં 'જુસ્સો' પણ ઘટી ગયો હતો. તે મારો પોતાનો દૃષ્ટિકોણ હતો, જોકે એક વ્યક્તિ તરીકે હું મારી જાતને કહી રહ્યો હતો કે મેં પૂરતા ઉતાર-ચઢાવ જોયા છે પણ હવે હું એ નહીં સંભાળી શકું. RCBની ટીમ 2016 બાદ પહેલી વખત 2020માં પ્લેઓફમાં પહોંચી હતી પણ ટાઇટલ જીતી શકી નહતી.'
— Royal Challengers Bangalore (@RCBTweets) March 16, 2023
2020 થી થઈ હતી નિરાશાની શરૂઆત?
આગળ એમને કહ્યું કે, '2020માં, નવા ખેલાડીઓ ટીમમાં જોડાયા, તેમની પાસે નવા વિચારો હતા અને ખૂબ જ ઉત્સાહિત હતા. વ્યક્તિગત રીતે હું કદાચ એટલો ઉત્સાહિત ન હતો પરંતુ તેની સકારાત્મક ઉર્જાથી અમે સતત ત્રણ વર્ષ પ્લેઓફમાં પહોંચ્યા. અમે દરેક સિઝનની શરૂઆત પહેલાની જેમ જ ઉત્સાહથી કરીએ છીએ. હું હજુ પણ ઉત્સાહિત અનુભવું છું. ટીમને સફળ બનાવવી એ સામૂહિક જવાબદારી છે, જો કોઈ વ્યક્તિમાં આત્મવિશ્વાસનો અભાવ હોય તો અન્ય ખેલાડીઓ તેને પ્રોત્સાહિત કરે છે.
કોહલીએ 2021 T20 વર્લ્ડ કપ પછી ભારતના T20 કેપ્ટન પદેથી રાજીનામું આપવાનું મન બનાવી લીધું હતું. બાદમાં તેને ODIની કેપ્ટન્સીમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. આ પછી તેણે ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પણ છોડી દીધી હતી. એ બાદ એમને RCBની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો.