ભારતીય ટીમના ચેમ્પિયન દાદા તરીકે પ્રખ્યાત સૌરવ ગાંગુલીએ મહેન્દ્ર સિંહ ધોનીના નિર્ણયો પર પોતાની યાદો બધા જોડે શેર કરી છે. ગાંગુલીએ કરિયરની છેલ્લી ટેસ્ટ મેચમાં ધોનીના એક નિર્ણયને યાદ કરતા કહ્યું કે તે નિર્ણય ચોંકવાનારો હતો.
સૌરવ ગાંગુલીએ ધોનીને પોતાની કેપ્ટનશીપમાં ખૂબ તક આપી હતી
ગાંગુલીએ છેલ્લી ટેસ્ટ મેચમાં ધોનીના નિર્ણયોને કર્યા યાદ
ધોનીએ ગાંગુલીની છેલ્લી ટેસ્ટ મેચમાં તેમને કેપ્ટનશિપ કરવા કહ્યું
ભારતીય ટીમના બધા ખેલાડીઓ હોય કે પછી બીજું કોઈ બધા જ મહેન્દ્ર સિંહ ધોનીથી ખૂબ પ્રભાવિત થયા હતા પછી તે સૌરવ ગાંગુલી જ કેમ ના હોય, જેમણે ટીમ ઈન્ડીયામાં ધોનીને પોતાની જગ્યા નક્કી કરવા પોતાની કેપ્ટનશિપમાં ખૂબ તક આપી. ગાંગુલીએ પહેલા ધોનીને નંબર સાત પર મૂક્યા પણ ત્યાં તેમનું પ્રદર્શન નબળું રહેતા પોતાના સ્થાન એટલે કે નંબર ત્રણ પર ધોનીને મોકો આપ્યો.
હાલનાં BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ હાલમાં જ ધોનીના ચોંકાવનારા નિર્ણયો અને પોતાની વિદાઈ ટેસ્ટની યાદો શેર કરી. ગાંગુલીએ કરિયરની છેલ્લી ટેસ્ટ મેચ નાગપુરમાં રમી હતી. આ સિરીઝમાં અનીલ કુંબલે કેપ્ટન હતા પરંતુ ત્યાં તેમની હાથમાં ઈજા આવી ગઈ અને તેમણે સંન્યાસ લઇ લીધો.
કરિયરની છેલ્લી ટેસ્ટ મેચમાં ગાંગુલી ધોનીના નિર્ણયથી ચોંકી ગયા હતા. તેમણે મેચની અંતિમ ક્ષણોમાં ગાંગુલીને જ ટીમની કેપ્ટનશિપ કરવા કહ્યું. ધોનીની ઈચ્છા હતી કે ગાંગુલીને એક કેપ્ટનના રૂપમાં ઓળખવામાં આવે છે તો તે જ અંદાજમાં કેપ્ટનશિપમાં જ તેમણે ક્રિકેટને અલવિદા કહેવું જોઈએ.
ગાંગુલીએ કહ્યું કે 'મારી છેલ્લી ટેસ્ટ મેચ હતી હું નાગપુરમાં હતો. છેલ્લો દિવસ હતો અને હું વિદર્ભનાં સ્ટેડીયમથી મેદાન તરફ ઉતરી રહ્યો હતો.' મેચનાં અમુક જ ઓવર બાકી હતા અને ધોનીએ કેપ્ટનશીપની મશાલ ગાંગુલીને સોંપવાનો નિર્ણય કર્યો. ગાંગુલીએ કહ્યું કે આ મારા માટે ચોંકવાનારુ હતું કારણ કે મને આશા જ ન જતી. પણ ધોની તો ધોની છે. અમે મેચ જીતવાના હતા અને મારું મગજ નિવૃત્તિ તરફ ચાલી રહ્યું હતું. મને નથી ખબર તે ત્રણ ચાર ઓવરમાં મેં શું કર્યું.'