વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે બે દિવસીય ઈન્ડિયા ડ્રોન ફેસ્ટિવલ 2022નું ઉદ્ધાટન કરાવ્યું હતું.
હું ડ્રોનની મદદથી સમગ્ર દેશમાં વિકાસ કાર્યોનું ઓચિંતું નિરીક્ષણ કરું છું -PM મોદી
2030 સુધીમાં ભારત ડ્રોન હબ બની જશે
કેદારનાથના પુનઃનિર્માણનું કામ ડ્રોનથી નિહાળ્યું
હું ડ્રોનની મદદથી સમગ્ર દેશમાં વિકાસ કાર્યોનું ઓચિંતું નિરીક્ષણ કરું છું -PM મોદી
PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે બે દિવસીય ડ્રોન ફેસ્ટિવલ 2022નું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તેઓએ જણાવ્યું હતું ન ટેક્નોલોજીને લઈને ભારતમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે આશ્ચર્યજનક છે. PM મોદીએ કહ્યું કે, આજે જો મારે સરકારી કામોની ગુણવત્તા જોવી હોય તો મારે કહેવું જરૂરી નથી કે મારે ત્યાં નિરીક્ષણ માટે જવું પડશે. હું ડ્રોનની મદદથી સમગ્ર દેશમાં વિકાસ કાર્યોનું ઓચિંતું નિરીક્ષણ કરું છું, અને કોઈને ખબર પણ પડતી નથી.
"I conduct surprise inspections of development work across the country with the help of drones," says PM Modi at 2-day Bharat Drone Mahotsav 2022 in Delhi pic.twitter.com/lluVcO2SQx
બે દિવસીય ડ્રોન ફેસ્ટિવલ 2022 ઉદ્ધાટન સમારોહમાં તેમણે કહ્યું હતું કે, 2030 સુધીમાં ભારત ડ્રોન હબ બની જશે. તેમણે કહ્યું કે, આજે હું જે પણ સ્ટોલ પર ગયો હતો ત્યાં બધા ગર્વથી કહેતા હતા કે આ મેક ઇન ઇન્ડિયા છે.
जब केदारनाथ के पुनिर्माण का काम शुरू हुआ था तो हर बार मेरे लिए वहां जाना संभव नहीं था। तो मैं ड्रोन के जरिए केदारनाथ के काम का निरीक्षण करता था। आज सरकारी कामों की गुणवत्ता को देखना है तो यह ज़रूरी नहीं है कि मैं बता दूं कि मुझे वहां निरीक्षण करने के लिए जाना है...: PM मोदी pic.twitter.com/wCLEtLL3m6
આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, જ્યારે કેદારનાથના પુનઃનિર્માણનું કામ શરૂ થયું ત્યારે દર વખતે ત્યાં જવું મારા માટે શક્ય નહોતું. તેથી હું ડ્રોન દ્વારા કેદારનાથનું કામ નિહાળતો હતો. આજે જો સરકારી કામોની ગુણવત્તા જોવી હોય તો મારે કહેવું જરૂરી નથી કે મારે ત્યાં નિરીક્ષણ માટે જવું પડશે.
અગાઉની સરકારોમાં ટેક્નોલોજી ઉપયોગ અંગે ઉદાસીનતાનું વલણ હતું
પીએમ મોદીએ કહ્યું, આ ડ્રોન ટેકનોલોજી ઉર્જા ભારતમાં રોજગાર નિર્માણના ઉભરતા મોટા ક્ષેત્રની સંભાવના દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ 8 વર્ષ પહેલાનો સમય હતો, જ્યારે અમે ભારતમાં સુશાસનના નવા મંત્રો અમલમાં મૂકવાનું શરૂ કર્યું હતું.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અગાઉની સરકારો ટેક્નોલોજીને સમસ્યાનો ભાગ માનતી હતી. તેમને ગરીબ વિરોધી સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેના કારણે 2014 પહેલા શાસનમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે ઉદાસીનતાનું વાતાવરણ હતું. સૌથી વધુ ગરીબોએ સહન કર્યું, વંચિતો અને મધ્યમ વર્ગ સૌથી વધુ સહન કર્યા. તેમણે કહ્યું કે, ટેક્નોલોજી દ્વારા આપણે આગળ વધી શકીએ છીએ અને અંત્યોદયના લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ.