યજ્ઞપુરષ સ્વામીનો વીડિયો વાયરલ થયા બાદ યજ્ઞપુરષ સ્વામીએ સ્વબચાવની માગ કરી છે. વોટસએપમાં બચાવની માંગ સાથે મેસેજ વાયરલ કર્યા છે. સત્તાધારી સંતો-સત્તાધિશો ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સત્તાધારી સંતો-સત્તાધિશો ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ
હરિભક્તોને ઇમોશનલી બ્લેકમેલ કરાતા હોવાનો આક્ષેપ
જન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ: સ્વામી
હરિભક્તોને ઇમોશનલી બ્લેકમેલ કરાતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્વામીએ કહ્યું કે જન્માષ્ટમી ઉપર હું આપઘાત કરીશ. મારા મૃતદેહને ગુજરાત આવવા દેવા માંગતો નથી. આ આપઘાત નથી પણ બલિદાન છે. યજ્ઞપુરષ હજારો કિમી દૂર હોવાનું મેસેજમાં જણાવ્યું છે. હરિભક્ત દ્વારા રાજકોટ પોલીસને પત્ર લખી જાણ કરવામાં આવી છે.
શું હતો મામલો?
વડતાલસ્વામિનારાયણ મંદિરમાં ફરી વિવાદ સામે આવ્યો છે. યજ્ઞપુરૂષ સ્વામીનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. જૂનાગઢના યજ્ઞપુરૂષ સ્વામીએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે અને મંદિરનો વહીવટ કોર્ટને સોંપવા માગ કરી છે.
શું યજ્ઞપુરુષ સ્વામીએ?
યજ્ઞપુરુષ સ્વામીએ કહ્યું કે આ તમામ મામલો પૈસાનો છે. પૈસા આવે છે એટલે આ બધુ થાય છે. અને પૈસાનો કોઇ હિસાબ નથી હોતો. ત્યારે આ મામલે સીબીઆઇ તપાસ કરવામાં આવવી જોઇએ. જૂનાગઢના યજ્ઞપુરુષ સ્વામીએ મોટો આક્ષેપ કરતા કહ્યું કે જેની પાસે કરોડોની મિલકતો, જમીનો અને સંસ્થાઓ છે એ આર્થિક ગોટાળાઓ છે એ સામે આવી શકે તેમ છે. એટલે એની તપાસ થવી જોઇએ