રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટમાંથી ભાજપને રાહત મળી છે. આ મામલે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ નિવેદન આપ્યુ છે કે રાફેલ મુદ્દે કોંગ્રેસ ક્યારે પણ સુપ્રીમકોર્ટમાં ગઈ નથી.
રાફેલ મુદ્દે કોંગ્રેસે અત્યાર સુધી JPCની માગ કરી છે. રાફેલ ડીલની તપાસ માટે કોર્ટ યોગ્ય જગ્યા નહીં. આ મામલે સંસદમાં ચર્ચા થવી જોઈએ. આ મામલે માત્ર JPC જ યોગ્ય મંચ છે. રાફેલ મુદ્દે JPC તપાસ કરશે તો સાચી હકીકત બહાર આવશે.
આ મામલે પીએમ મોદીએ JPCની તપાસના આદેશ આપવા માટે પણ સુરજેવાલાએ જણાવ્યુ હતુ. આ સાથે જ તેમણે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ કે કેન્દ્ર સરકાર JPC તપાસથી શા માટે ભાગી રહી છે. આ મામલે કેન્દ્ર સરકારે JPC તપાસના આદેશ આપવા જોઈએ.
ત્યાર બાદ તેમણે જણાવ્યુ કે રાફેલ મુદ્દે કોંગ્રેસ વધુ એક ખુલાસો કરશે. રાફેલ મુદ્દે જે માહિતી હજી સુધી લોકો સામે આવી નથી. તે મામલે કોંગ્રેસ ખુલાસો કરશે.