હાલ સૈફ અલી ખાનનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે જેને લઈને લોકો ફિલ્મને બૉયકોટ કરવાની માંગ કરી રહ્યા છે.
સૈફ અલી ખાનનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે
મારા દીકરાનું નામ રામ તો ન રાખી શકું - સૈફ અલી ખાન
લોકો હૃતિક-સૈફની ફિલ્મને 'સસ્તી કોપી પેસ્ટ' પણ કહી રહ્યા છે.
બોલિવૂડના એક્ટર સૈફ અલી ખાનને તો આપણે બધા જાણીએ જ છીએ અને આ સાથે જ સૈફ અલી ખાનનું અંગત જીવન વિશે પણ ઘણી-ખરી માહિતી બધા જાણે જ છે. સૈફ અલી ખાનની પહેલી પત્ની અને બીજી પત્નીથી તેને કુલ ચાર બાળકો છે અને બાળકોના નામ ઈબ્રાહિમ, તૈમૂર અને જહાંગીર રાખવા બદલ ઘણી વખત ટીકાનો ભોગ બન્યા છે. હાલ ફરી એકવખત સૈફ અલી ખાનના એક વીડિયોએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે વાત એમ છે કે સૈફ અલી ખાનની ફિલ્મ 'વિક્રમ વેધા' આજે રિલીઝ થઈ એમ જ બૉયકોટ ગેંગ સોશિયલ મીડિયા પર સક્રિય થઈ ગઈ છે. અલગ અલગ કારણોસર આ ફિલ્મના બૉયકોટની માંગ કરવામાં આવી રહી છે. હાલ સૈફ અલી ખાનનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે જેને લઈને લોકો ફિલ્મને બૉયકોટ કરવાની માંગ કરી રહ્યા છે.
વિક્રમ વેધા ફિલ્મને બૉયકોટ કરવાની ઉઠી માંગ
વિક્રમ વેધા ફિલ્મને બૉયકોટ કરવા પાછળનું એક મોટું કારણ એ છે કે આ ફિલ્મ સાઉથની ફિલ્મની હિન્દી રિમેક છે અને એ ફિલ્મમાં વિજય સેતુપતિ અને આર માધવને જબરદસ્ત અભિનય કર્યો હતો. હવે લોકો એમ કહી રહ્યા છે કે તેઓ એ આ શાનદાર ફિલ્મ જોઈ લીધી છે તો હવે ફરી પૈસા કેમ બગાડીએ! જો કે હાલ સોશ્યલ મીડિયા પર લોકો હૃતિક-સૈફની ફિલ્મને 'સસ્તી કોપી પેસ્ટ' પણ કહી રહ્યા છે.
મારા દીકરાનું નામ રામ તો ન રાખી શકું - સૈફ અલી ખાન
આ બધા સાથે જ સૈફ અને કરીનાનો એક જૂનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયોમાં સૈફ કહી રહ્યો છે કે તે પોતાના દીકરાનું નામ રામના નામ પર ન રાખી શકે અને કરીના તેના દીકરા તૈમુરનું નામ લઈને મુગલ શાસકોના વખાણ કરતી જોવા મળી રહી છે. એ જૂન વિડીયોમાં સૈફ અલી ખાન બોલ્યો હતો કે, 'હું મારા દીકરાનું નામ એલેક્જેન્ડર નથી રાખી શકતો અને સાચું કહું તો તેનું નામ રામ પણ નથી રાખી શકતો. તો પછી સારું મુસ્લિમ નામ કેમ ન રાખું?' આ સાથે જ બીજા એક વીડિયોમાં એક શોમાં કરીના કપૂરે કહ્યું હતું કે, 'જેમ એક યોદ્ધા એમ એક તૈમૂર' કરીના એ વિડીયોમાં તેના દીકરાનું નામ ખૂબ ગર્વથી લેતી જોવા મળે છે.
તૈમુર કોણ હતો?
જણાવી દઈએ કે જ્યારે સૈફ-કરીનાએ તેમના મોટા પુત્રનું નામ તૈમુર રાખ્યું હતું ત્યારે આખા દેશમાં હોબાળો મચી ગયો હતો. કારણ કે તૈમુરલંગ એક તુર્કી શાસક હતો અને તેને 14મી સદીમાં ભારતમાં ઘણી લૂંટ કરી હતી અને તેને કારણે હજારો લોકો માર્યા ગયા હતા.