25 મે વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ રાજીનામાની રજૂઆત કરી હતી જેને સર્વસમ્માતિથી ફગાવી દીધું હતું. હવે રાહુલના રાજીનામા આપવાની સ્થિતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહલોતને પાર્ટીના નવા અધ્યક્ષ બનાવવાની ચર્ચામાં છે. ગહેલોત હાલ રાજસ્થાનના સીએમ છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના આગળના પગલાને લઇને ચાલી રહેલી અટકળો વચ્ચે ગુરુવારે કહ્યું કે તે નહીં, પરંતુ એમની પાર્ટી એમના અધ્યક્ષના મામલે નિર્ણય લેશે. ગાંધીને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે એમના બાદ કોને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવશે, તો એમને જવાબ આપ્યો કે એમના ઉત્તરાધિકારી માટે તેઓ નિર્ણય લેશે નહીં.
લોકસભા ચૂંટણીમાં હાર બાદથી રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ પદ છોડવાને લઇને અડેલા છે, પરંતુ કોંગ્રેસના સર્વોચ્ય નિર્ણાયક નિકાય સીડબ્લ્યૂસીએ એમના રાજીનામાનો પ્રસ્તાવ ફગાવી દીધો છે અને એમને દરેક સ્તર પર પાર્ટીનું પુનર્ગઠન કરવાનું કહ્યું છે.
Delhi: Earlier visual of Congress President Rahul Gandhi arriving at the Parliament for the President's address of the joint session of both the Houses. pic.twitter.com/zAyk27671e
ગાંધીએ એવું પણ કહ્યું કે આજે પણ એમનું એ જ વલણ છે કે રાફેલ વિમાન કરારમાં ચોરી થઇ છે. સંસદને બંને સદનોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિના અભિભાષણમાં રાફેલના ઉલ્લેખ માટે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબમાં ગાંધીએ સંસદ ભવનમાં આ ટિપ્પણી કરી.
ગુરુવારે પોતાના અભિભાષણ દરમિયાન રાષ્ટ્રપતિએ રાફેલ લડાકૂ વિમાનનો ઉલ્લેખ કરતાં કહ્યું, 'મારી સરકાર, સેના અને સશસ્ત્ર બળોના આધુનિકીકરણના કામને ઝડપથી આગળ વધારી રહી છે. નજીકના ભવિષ્યમાં જ ભારતને પહેલું 'રાફેલ' લડાકૂ વિમાન અને 'અપાચે' હેલીકૉપ્ટર પણ મળવા જઇ રહ્યું છે.'