વિરાટ કોહલીનું ટીમમાં કઈ રીતે આગમન થયું તે અંગે એક નવી અને ચોંકાવનારી વાત સામે આવી છે, અહીં એક વાત એ પણ સામે આવી છે કે, કોહલી એવા સમયે ટીમમાં આવ્યો જ્યારે ધોનીને તેનુ નામ નહોતી ખબર. મુખ્ય પસંદગીકાર દિલીપ વેંગસરકેર રવિવારે દાવો કર્યો કે, તેમણે એ સમયે કોહલીને ટીમમાં લાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી તે તાત્કાલિન કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને કોચ ગેરી ક્રર્સ્ટને તેના વિશે સાંભળ્યુ પણ નહોતુ.
વેંગસરકરે એક પુસ્તકના વિમોચન પ્રસંગે આ વાત જણાવી કે, “સાચું કહું તો જ્યારે મે વિરાટ કોહલીને ટીમમાં સિલેક્ટ કર્યો તો તે ઓસ્ટ્રેલિયામાં ઈમર્જિંગ પ્લેયર્સ ટુર્નામેન્ટ રમી રહ્યો હતો અને હું સિલેક્શન કમિટીનો અધ્યક્ષ હતો.''પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું- હું ઓસ્ટ્રેલિયા મેચ જોવા ગયો હતો અને કોહલી અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો.”
ભારત માટે 116 ટેસ્ટ રમનાર વેંગસરકરે એમ પણ કહ્યું કે, તામિલનાડુના બેટ્સમેન એસ. બદ્રીનાથે તેમના માટે જગ્યા બનાવવી પડી. વેંગસરકરે કહ્યુ કે, મહેન્દ્રસિંહ ધોની ત્યારે ટીમનો કેપ્ટન હતો અને ગેરી ક્રિર્સ્ટન ટીમ ઇન્ડિયાના કોચ હતા, તેમણે કોહલી વિશે સાંભળ્યુ પણ નહોતુ. તેમણે કહ્યું હમણાં કોહલીને પસંદ નહોતો કરવાનો અને થોડી મેચ રમવા દેવાનો હતો. અને હું એ વાત પર ભાર આપી રહ્યો હતો કે કોહલીને ટીમમાં જરુરી પસંદ કરવો જોઇએ. આ પછી તેમણે એસ. બદ્રીનાથને ટીમમાં પસંદ કરવો જોઈએ.”
કોહલી,એ 18 ઓગસ્ટ 2008એ શ્રીલંકા સામે પોતાનું કરિયરની શરૂઆત કરી હતી. તેમણે પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણી ઉપલબ્ધીઓ મેળવી છે. હવે તેઓ 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં થનારા વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની આગેવાની કરશે.
લૉડ્સમાં ત્રણ શતક લગાવનાર પૂર્વ કેપ્ટને એ પણ કહ્યું કે, “સચિન તેંડુલકરને મુંબઇની રણજી ટીમમાં પસંદ કર્યો હતો, જ્યારે હું મુંબઇની ટીમનો કેપ્ટન હતો, બધા તેને ટીમમાં લેવાના પક્ષમાં નહતો. લોકોનું કહેવું હતું કે તેની ઉંમર ઘણી નાની છે પણ મે ભાર આપીને કહ્યુ કે, સચિનને ટીમમાં પસંદ કરવો જોઈએ.”