i am surprised that the mea has arranged for european union mps to visit kashmir area of jk because this visit immoral says bjp rajya sabha mp subramanian swamy
નિવેદન /
EU સાંસદોની કાશ્મીર મુલાકાતની મંજૂરીથી ભડક્યા ભાજપના સાસંદ, કોંગ્રેસે કહ્યું તો અમને મંજૂરી કેમ નહીં
Team VTV08:24 PM, 28 Oct 19
| Updated: 08:25 PM, 28 Oct 19
યુરોપીયન સાંસદોને જમ્મૂ અને કાશ્મીર જવાની મંજુરીના મામલા પર રાજ્યસભાથી બીજેપી સાંસદ અને પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સુબ્રમણ્યમ સ્વામી ભડક્યા છે. એમણે કહ્યું કે મામલો રાષ્ટ્રીય નીતિ સાથે સમજુતી છે. જ્યારે કોંગ્રેસે તેને લઇને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું- આ મામલો રાષ્ટ્રીય નીતિ સાથે સમજુતી છે
ઇયૂ પ્રતિનિધિમંડળ કાશ્મીર જઇ શકે છે તો અમે કેમ ન જઇ શકીએ : કોંગ્રેસ
સોમવારે આ મામલે સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વિટ કર્યું. એમણે લખ્યું કે, હું આશ્ચર્યચકિત છું કે વિદેશ મંત્રાલયએ યૂરોપીય સંઘના સાંસદોને જમ્મૂ અને કાશ્મીરના કાશ્મીર વિસ્તારોમાં જવા દેવાની વ્યવસ્થા કરાઇ છે. એ પણ ત્યારે, જ્યારે તે એકલા જશે અને આ કોઇ યુરોપીયન યુનીયનનું સત્તાવાર પ્રતિનિધિમંડળ નહીં હોય. આ આપણી રાષ્ટ્રીય નીતિથી સમજુતી છે. મારી સરકારથી અપીલ છે કે તે આ પ્રવાસને રદ્દ કરે, કેમકે આ અનૈતિક છે.
I am surprised that the MEA has arranged for European Union MPs, in their private capacity [Not EU's official delegation],to visit Kashmir area of J&K. This is a perversion of our national policy. I urge the Government cancel this visit because it is immoral.
જ્યારે કોંગ્રેસે તેને લઇને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા જયવીર શેરગિલે (Jaiveer Shergill) કહ્યું કે બહારના કોઇપણ દેશને કાશ્મીર મામલે દખલ દેવાનો કોઇ હક નથી. જો વડાપ્રધાન મોદી વિદેશી દેશોના ડેલીગેશનને અતિથી બનાવીને કાશ્મીરનો પ્રવાસ અને મુલાકાત કરાવી શકે છે તો પોતાની જ વિપક્ષની પાર્ટીના નેતાઓની સાથે સોતેલો વ્યવહાર કેમ કરી રહી છે?
એમણે કહ્યું કે વિપક્ષની પાર્ટીને કાશ્મીરમાં જવા માટે સુપ્રીમ કોર્ટમાં જવુ પડે છે અને વિદેશીઓ માટે 'લાલ જાજમ' વિસાવીને પીએમ તેમને કાશ્મીર લઇ જઇ રહ્યા છે. એમણે કહ્યું કે, વિપક્ષી પાર્ટીને ડેલીગેશનના જવા પર કોઇ આપત્તિ નથી. જો ઇયૂ પ્રતિનિધિમંડળ કાશ્મીર જઇ શકે છે તો અમે કેમ ન જઇ શકીએ?
આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુરોપીયન સાંસદો સાથે સંવાદ કર્યો. પીએમ મોદીએ તેમને કહ્યું કે, આતંક અથવા આતંકવાદીઓની મદદ કરનાર તથા એવી ગતિવિધિઓને પ્રોત્સાહન આપનાર વિરુદ્ધ તાત્કાલિક કડક એક્શન લેવું જોઇએ.