પત્રકાર મોહમ્મદ ઝુબેર ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ નેતા નૂપુર શર્મા અને સાધુઓને 'નફરત ફેલાવનારા' કહ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા.
પત્રકાર મોહમ્મદ ઝુબેરે જામીન માટે SCમાં કરી અરજી
અરજીમાં જણાવામાં આવ્યું છે કે ઝુબેરને જાનથી મારી નાખવાની મળી રહી છે ધમકીઓ
મોહમ્મદ ઝુબેર સામે ધાર્મિક ભાવનાઓની ઠેસ પહોંચાડવા બદલ કરી છે ધરપકડ
પત્રકાર મોહમ્મદ ઝુબેરે જામીન માટે SCમાં કરી અરજી
ભડકાઉ પોસ્ટ કરવા બદલ ધરપકડ કરાયેલા ફેક્ટ ચેકર અને પત્રકાર મોહમ્મદ ઝુબેરે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ફેક્ટ ચેકરના વકીલ વતી અર્જન્ટ બેલ માટેની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઝુબેરને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. જસ્ટિસ ઈન્દિરા બેનર્જી આવતીકાલે આ મામલાની યાદી આપવા સંમત છે. જો કે, આ CJIની મંજૂરીને આધીન છે.
મોહમ્મદ ઝુબેર સામે ધાર્મિક ભાવનાઓની ઠેસ પહોંચાડવા બદલ કરી છે ધરપકડ
તમને જણાવી દઈએ કે 27 જૂનના રોજ મોહમ્મદ ઝુબેરની દિલ્હી પોલીસે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ધરપકડ કરી હતી. તેના પર ધર્મ, જાતિ, જન્મ સ્થળ, ભાષા વગેરેના આધારે જુદા જુદા જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. આ અગાઉ 1લી જૂનના રોજ, મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ સીતાપુરના ખૈરાબાદ પોલીસ સ્ટેશનમાં કથિત રીતે હિન્દુ સંતો-મહાત્માઓને નફરત ફેલાવવા માટે કહેવા બદલ FIR નોંધવામાં આવી હતી.
કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરશે.-ASP એમપી સિંહ
એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (એએસપી) એમપી સિંહે સોમવારે જણાવ્યું હતું કે સીતાપુર પોલીસે ખૈરાબાદમાં નોંધાયેલા કેસમાં મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ પ્રોડક્શન વોરંટ જારી કર્યું હતું અને તેને આજે સીતાપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એએસપીએ કહ્યું હતું કે હવે જિલ્લા પોલીસે પોલીસ કસ્ટડી માટે કોર્ટમાં અરજી કરી છે અને કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરશે. આ સાથે તેઓએ ASPએ તેમના સહકાર અને સમર્થન માટે દિલ્હી પોલીસનો આભાર માન્યો.નોંધનીય છે કે પત્રકાર મોહમ્મદ ઝુબેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા નૂપુર શર્મા અને સાધુઓને 'નફરત ફેલાવનારા' કહ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. તેણે સસ્પેન્ડ કરાયેલા BJP પ્રવક્તાનો વીડિયો શેર કર્યો, જેના પછી હંગામો થયો હતો.