બ્રેકિંગ ન્યુઝ
VTV / i am not very happy as this is the third time that death warrant says ashadevi
Last Updated: 05:13 PM, 17 February 2020
ADVERTISEMENT
નિર્ભયાની માતા આશા દેવીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, 'હું બહુ ખુશ નથી, કારણ કે આ ત્રીજી વખત છે જ્યારે ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. અમે અત્યાર સુધી ઘણું સંઘર્ષ કર્યો છે, તેથી હું સંતુષ્ટ છું કે આખરે ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું છે. હું આશા રાખું છું કે તેમને (ગુનેગારોને) 3 માર્ચે ફાંસી આપવામાં આવશે.
Asha Devi, Mother of 2012 Delhi gang-rape victim: I am not very happy as this is the third time that death warrant has been issued. We have struggled so much, so I am satisfied that death warrant has been issued finally. I hope they (convicts) will be executed on 3rd March. https://t.co/lUI3flqwzU pic.twitter.com/gkuYNnGocX
— ANI (@ANI) February 17, 2020
ADVERTISEMENT
ગુનેગારોના વકીલે થોડા સમય પહેલા આશા દેવીને આપી હતી ચેલેન્જ
1 ફેબ્રુઆરીના રોજ ફાંસી મુલતવી રહ્યા બાદ 'ગુનેગારોના વકીલ એ.પી.સિંઘે નિર્ભયાના માતા આશા દેવીને ચેલેન્જ આપી હોવાની વાત તેમણે જણાવી હતી. તેમણે કહ્યું કે, વકીલે મને પડકાર ફેંક્યો અને કોર્ટમાં ગયા કે, ફાંસી હંમેશ માટે આપવામાં નહીં આવે.
સરકારી વકીલે આપ્યું નિવેદન
આ પહેલા બપોરે બરાબર 2 વાગ્યે શરૂ થયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું હતું કે 3 દોષિત અક્ષય, વિનય અને મુકેશની દયા અરજી નામંજૂર કરવામાં આવી છે. દોષિત પવન દ્વારા આ કેસમાં દયાની અરજી અને ક્યુરેટિવ પિટિશન હજી બાકી છે. સરકારી વકીલે વધુમાં કહ્યું કે, હાઇકોર્ટે આપેલો એક અઠવાડિયાનો સમયગાળો પણ 11 ફેબ્રુઆરીએ પુરો થયો છે. તેમણે દલીલ કરી હતી કે હાલમાં કોઈ પણ દોષીની અરજી કોઈ પણ કોર્ટમાં પેન્ડિંગ નથી, તેથી નવું ડેથ વોરંટ જાહેર કરી શકાય છે.
વિનય શર્માએ ખાવા-પીવાનું છોડ્યું હોવાનું વકીલે કોર્ટને જણાવ્યું
સરકારી વકીલની દલીલ બાદ દોષિતોના એ.પી.સિંહે કહ્યું કે વિનયની માનસિક સ્થિતિ સારી નથી. તેણે કહ્યું કે તેની હાલત એટલી ખરાબ છે કે તેણે 11 ફેબ્રુઆરીથી ખાવાનું પીવાનું પણ બંધ કરી દીધું છે. એ.પી.સિંહે કોર્ટને કહ્યું કે આજે વિનયની માતા તેને જેલમાં મળવા ગઈ હતી, વિનયના આખા માથા પર પટ્ટીઓ બાંધેલી હતી. આ એક ગંભીર બાબત છે. તેણે અદાલતને વિનયનો મેડિકલ રિપોર્ટ મેળવવા માટે કહ્યું અને કહ્યું કે તેના માથામાં પણ ઘણી ઘા છે છે. જેલ અધિક્ષકને રિપોર્ટ માંગતી વખતે જેલના માર્ગદર્શિકાની કાળજી લેવાનું કહેવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.