બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / i am not very happy as this is the third time that death warrant says ashadevi

નિર્ભયા કેસ / ફાંસીની નવી તારીખ જાહેર થયાં બાદ નિર્ભયાના માતાએ કહ્યું કે, હું બહુ ખુશ નથી કારણ કે...

Last Updated: 05:13 PM, 17 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિર્ભયા બળાત્કાર અને મર્ડર કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગુનેગારો માટે ડેથ વોરંટ જારી કર્યું છે. નવા ડેથ વોરંટ મુજબ 3 માર્ચે સવારે 6 વાગ્યે ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી છે. કોર્ટના આદેશ બાદ નિર્ભયાની માતાએ પ્રતિક્રિયા આપી હતી કે, સતત ત્રીજી વખતે થયેલી આ ઘટનાને કારણે હું બહું ખુશ નથી.

  • નિર્ભયાના દોષિતોને 3 માર્ચે આપવામાં આવશે ફાંસી
  • નિર્ભયાના માતાએ આપ્યું મીડિયાને આપ્યું નિવેદન
  • હું બહું ખુશ નથી કારણે કે આવું ત્રીજી વખત બન્યું

નિર્ભયાની માતા આશા દેવીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, 'હું બહુ ખુશ નથી, કારણ કે આ ત્રીજી વખત છે જ્યારે ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. અમે અત્યાર સુધી ઘણું સંઘર્ષ કર્યો છે, તેથી હું સંતુષ્ટ છું કે આખરે ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું છે. હું આશા રાખું છું કે તેમને (ગુનેગારોને) 3 માર્ચે ફાંસી આપવામાં આવશે.

ગુનેગારોના વકીલે થોડા સમય પહેલા આશા દેવીને આપી હતી ચેલેન્જ

1 ફેબ્રુઆરીના રોજ ફાંસી મુલતવી રહ્યા બાદ 'ગુનેગારોના વકીલ એ.પી.સિંઘે નિર્ભયાના માતા આશા દેવીને ચેલેન્જ આપી હોવાની વાત તેમણે જણાવી હતી. તેમણે કહ્યું કે, વકીલે મને પડકાર ફેંક્યો અને કોર્ટમાં ગયા કે, ફાંસી હંમેશ માટે આપવામાં નહીં આવે. 

નિર્ભયાના માતા આશાદેવી 

સરકારી વકીલે આપ્યું નિવેદન 

આ પહેલા બપોરે બરાબર 2 વાગ્યે શરૂ થયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલે કહ્યું હતું કે 3 દોષિત અક્ષય, વિનય અને મુકેશની દયા અરજી નામંજૂર કરવામાં આવી છે. દોષિત પવન દ્વારા આ કેસમાં દયાની અરજી અને ક્યુરેટિવ પિટિશન હજી બાકી છે. સરકારી વકીલે વધુમાં કહ્યું કે, હાઇકોર્ટે આપેલો એક અઠવાડિયાનો સમયગાળો પણ 11 ફેબ્રુઆરીએ પુરો થયો છે. તેમણે દલીલ કરી હતી કે હાલમાં કોઈ પણ દોષીની અરજી કોઈ પણ કોર્ટમાં પેન્ડિંગ નથી, તેથી નવું ડેથ વોરંટ જાહેર કરી શકાય છે.

વિનય શર્માએ ખાવા-પીવાનું છોડ્યું હોવાનું વકીલે કોર્ટને જણાવ્યું 

 

નિર્ભયા કેસના દોષિતો

સરકારી વકીલની દલીલ બાદ દોષિતોના એ.પી.સિંહે કહ્યું કે વિનયની માનસિક સ્થિતિ સારી નથી. તેણે કહ્યું કે તેની હાલત એટલી ખરાબ છે કે તેણે 11 ફેબ્રુઆરીથી ખાવાનું પીવાનું પણ બંધ કરી દીધું છે. એ.પી.સિંહે કોર્ટને કહ્યું કે આજે વિનયની માતા તેને જેલમાં મળવા ગઈ હતી, વિનયના આખા માથા પર પટ્ટીઓ બાંધેલી હતી. આ એક ગંભીર બાબત છે. તેણે અદાલતને વિનયનો મેડિકલ રિપોર્ટ મેળવવા માટે કહ્યું અને કહ્યું કે તેના માથામાં પણ ઘણી ઘા છે છે. જેલ અધિક્ષકને રિપોર્ટ માંગતી વખતે જેલના માર્ગદર્શિકાની કાળજી લેવાનું કહેવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

National News ashadevi convict nirbhaya case આશા દેવી નિર્ભયા કાંડ નિર્ભયા કેસ પટિયાલા હાઉસ કોર્ટ Nirbhaya Case
Kavan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ