ભારતના ચીફ જસ્ટીસ એનવી રમન્નાએ એક નિખાલસ કબૂલાત કરતા પોતાના જીવન વિશે મોટો ખુલાસો કર્યો છે.
ભારતના ચીફ જસ્ટીસ એનવી રમન્નાની નિખાલસ કબૂલાત
પોતાના જીવન વિશે કર્યાં મોટા ખુલાસા
કહ્યું મને અંગ્રેજી નથી આવડતું
8 ચોપડી ભણેલો છું
સુપ્રીમ કોર્ટમાં વાયુ પ્રદૂષણ કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ એનવી રમન્નાની નિખાલસ કબૂલાત સામે આવી છે. તેમણે કહ્યું કે મને સારુ અંગ્રેજી આવડતું નથી. હું સારો વક્તા પણ નથી. મેં પહેલી વાર આઠમા ધોરણમાં અંગ્રેજી ભણવાનું શરુ કર્યું.
વાયુ પ્રદૂષણના કેસની સુનાવણી દરમિયાન કરી અંગત વાત
વાસ્તવમાં સીજેઆઈ સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાના નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા કે મહેતા એવું બિલકુલ કહેતા નથી કે દિલ્હી-એનસીઆરમાં હવાના પ્રદૂષણ માટે માત્ર ખેડૂતો જ જવાબદાર છે. મહેતાએ કહ્યું હતું કે વકીલો તરીકે આપણી ભાષા જે રીતે લેવામાં આવે છે તે ખોટો સંદેશ આપી શકે છે, જ્યારે તેનો આવો ઇરાદો નથી.
પ્રદૂષણ ઘટે તેવી અમારી પણ ઈચ્છા છે-ચીફ જસ્ટીસ
આ અંગે મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે, "અમે પણ ઇચ્છીએ છીએ કે પ્રદૂષણ માં ઘટાડો થાય અને બીજું કશું નહીં. બેન્ચ પર રહેલા ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને સૂર્યકાંતે જણાવ્યું હતું કે પ્રદૂષણના અન્ય કારણો છે, જેમ કે ધુમાડો, ફટાકડા અને વાહનોમાંથી ધૂળ. માત્ર પરાળ સળગાવનારા ખેડૂતોને જ દોષી ઠેરવવું યોગ્ય નથી.
ચીફ જસ્ટીસની કેટલીક કઠોર ટીપ્પણીઓ
વિધેયકો ચર્ચા વિના પસાર થાય છે, સંસદમાં કાયદા પસાર કરવામાં આવશે
પૈસા કમાવનાર અધિકારીઓને જેલમાં ધકેલી દેવો જોઈએ
પોલીસ સ્ટેશનોમાં વર્તન અંગે, કહે છે કે દેશનો કાયદો માનવ અધિકારોનું રક્ષણ કરવા માટે છે
માળખાગત સુવિધાઓના અભાવ અંગે ન્યાયતંત્રે કહ્યું, 26% અદાલતોમાં મહિલાઓ માટે શૌચાલય નથી.