બિહારના મુખ્યમંત્રી બન્યા બાદ નીતિશ કુમારે પીએમ મોદીને લઈને એવું મોટું નિવેદન આપ્યું છે. નીતિશ કુમારે કહ્યું કે જે લોકો 2014માં સત્તામાં આવ્યાં હતા શું તેઓ 2024માં ફરી વાર વિજયી બનશે. તેમણે કહ્યું કે 2024માં તમામ વિપક્ષ એકજૂટ થઈને ચૂંટણી લડે તેવી મારી ઈચ્છા છે.
Those who came to power in 2014, will they be victorious in 2024? I would like all (opposition) to be united for 2024. I am not a contender for any such post (on PM post): Bihar CM Nitish Kumar pic.twitter.com/XI7BPaAA9K
2024માં પીએમ પદનો ઉમેદવાર નથી- નીતિશ કુમાર
નીતિશે પીએમ પદની દાવેદારીને લઈને પણ એક મોટું નિવેદન આપ્યું હતું. નીતિશ કુમારે કહ્યું કે હું પીએમ પદનો ઉમેદવાર નથી.
રાજકીય હરીફો હવે 2024ની ચિંતા કરે
નીતિશ કુમારે કહ્યું કે તેઓ 2014માં સત્તાએ આવ્યાં હતા પરંતુ તેમણે હવે 2024ની ચિંતા કરવી જોઈએ. તેમણે કહ્યું કે બિહારની નવી સરકારે એકદમ સારી રીતે ચાલશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
He won in 2014, but should now worry about 2024: Bihar CM Nitish Kumar about PM Narendra Modi
8મી વાર મુખ્યમંત્રી બન્યા નીતિશ કુમાર
ઉલ્લેખનીય છે કે નીતિશ કુમારે 8મી વાર બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ વખતે તેમણે ભાજપને પડતો મૂકીને આરજેડી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી છે.
New govt will run just fine: Bihar CM Nitish Kumar on BJP's claim of early fall
ભાજપે બધી પાર્ટીઓને દગો દીધો
ભાજપ સાથેનું ગઠબંધન તોડ્યા બાદ પણ નીતિશ કુમારે ભાજપને આડેહાથ લેતા એવું કહ્યું હતું કે ભાજપે બધી પાર્ટીઓને દગો આપ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપે જે પણ પાર્ટી સાથે ગઠબંધન કર્યું તેની સાથે દગાબાજી કરી હતી.
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે નીતિશને આપ્યાં અભિનંદન
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે નીતિશ કુમાર અને તેમના ડેપ્યુટી તેજસ્વી યાદવને અભિનંદન પાઠવ્યાં હતા.