લોકસભાના મહાપર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, કોઇ પક્ષ પલટા કરી રહ્યા છે તો કોઇ પાર્ટી છોડી રહ્યા છે. રાજ્યમાં ચારેબાજુ ચૂંટણીનો ગરમાહટ જોવા મળી રહ્યો છે, જ્યારે અલ્પેશ ઠાકોરે કોંગ્રેંસ પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપતા રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં પરત લાવવને લઇને મોટું નિવેદન આપ્યું છે.
બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરે અલ્પેશના કોંગ્રેસમાંથી રાજીનામાને લઇ મોટું નિવેદન આપ્યું. ભરત ઠાકોરે કહ્યું કે, અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં પરત આવશે. તેમણે વધુમાં કહ્યું કે, હાઇકમાન્ડ અલ્પેશ ઠાકોરને મનાવશે. સાથે જ તેઓએ કહ્યું કે, અમે ક્યારેય પ્રજા સાથે દગો નહીં કરીએ અને કોંગ્રેસમાં ક્યારેય દ્રોહ નહીં કરીએ.
તમને જણાવી દઇએ કે, અલ્પેશ ઠકોરને લઇને ચારો તરફથી નિવેદનો આવી રહ્યા છે. અલ્પેશના ભાજપમાં જોડાવાને લઇને સીએમ રૂપાણીએ સપષ્ટ ના પાડી હતી, તો આ બાજુ ગઇકાલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કાલે પીએમ મોદી અને અમિત શાહને ઓપન ચેલેન્જ આપતાં અલ્પેશને ભાજપમાં ન જોડાવા વિનંતી કરી હતી. હવે અલ્પેશ ભાજપમાં જોડાય છે કે પાછી કોંગ્રેસમાં ઘર વાપસી કરે છે તે જોવું રહ્યું..