મુલાયમ સિંહે એસપી કાર્યકર્તાને અપીલ કરી કે એ માયાવતીનું હંમેશા સમ્માન કરે. એમને કહ્યું, 'મને ખુશી છે કે ઘણા બધા દિવસો બાદ અમે અને માયાવતી એક મંચ પર છીએ. અમારા આદરણીય માયાવતી જી આવી છે.'
મેનપુરી: યૂપીના રાજકારણમાં બે પાર્ટી દુશ્મનાવટ ભૂલીને 24 વર્ષ બાદ આજે ચૂંટણી મંચ પર સાથે જોવા મળ્યા. બીએસપી સુપ્રીમો સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહનાા સમર્થનમાં પ્રચાર કરવા માટે મૈનપુરી પહોંચી. મુલાયમ સિંહે પણ માયાવતીના આ અહેસાનના જોરદાર વખાણ કર્યા. મુલાયમે કહ્યું કે માયાવતીએ હંમેશા એમની મદદ કરી છે.
મુલાયમના ભાષણમાં ગેસ્ટ હાઉસ કાંડની ઝલક પણ જોવા મળી, એમને એસપી કાર્યકર્તાઓને અપીલ કરી કે એ માયાવતીનું હંમેશા સમ્માન કરે. એસપી સંરક્ષકે કહ્યું, 'હું મેનપુરીના મતદાતાઓ તરફથી અભિનંદન કરું છું. મેનપુરીની જનતાને કહીશ કે તાળી પાડીને માયાવતીનું સ્વાગત કરે. મને ખુશી છે કે ઘણા દિવસો બાદ બહેન માયાવતી જી અને હું સાથે આવ્યા, માયાવતી જી આવી છે, એમનું સ્વાગત છે. એ મારા માટે વોટ માંગવા આવી છે. હું એમને અહેસાન ક્યારેય ભૂલીશ નહીં.'
મુલાયમે કહ્યું, 'મેનપુરી અમારો જિલ્લો થઇ ગયો છે. ચૂંટણીમાં અમને પહેલા કરતાં વધારે મત આપીને ભારે બહુમતથી જીતાડી દેજો. '
જણાવી દઇએ કે આશરે 24 વર્ષ બાદ મુલાયમ સિંહ અને માયાવતી એક સાથે મંચ પર આવ્યા છે. માયાવતી ગેસ્ટ હાઉસ કાંડને ભૂલીને સમાજવાદી પાર્ટીના ગઢ મૈનપુરીમાં મુલાયમ સિંહના માટે વોટ માંગવા પહોંચી.