સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને પોલીસના આકરા અને અભદ્ર વર્તનને લઈને કહ્યું ચુંટણીમાં મતદાન ઘટશે તો પ્રશાસન જવાબદાર
મારાથી મોટો ગુનેગાર કોણ છે ? -આઝમ ખાન
મારે રહેવું હોય તો મારે સહન કરવું પડશે
મારા ગુનાઓના લીધે મારા શહેરને પણ એવું જ માનવામાં આવે છે
મતદાનની ટકાવારી ઘટશે તો સરકાર જવાબદાર
સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને આરોપ લગાવ્યો છે કે આઝમગઢ અને રામપુર સંસદીય બેઠકો પર લોકસભાની પેટાચૂંટણીની પૂર્વસંધ્યાએ ઉત્તર પ્રદેશ પોલીસે કહેર વર્ષાવ્યો છે. ખાનના જણાવ્યા અનુસાર, યુપી પોલીસે લોકસભાની પેટા-ચૂંટણીની પૂર્વસંધ્યાએ રામપુરમાં સપાના લોકસભાના ઉમેદવાર સાથે "અભદ્ર" વર્તન કર્યું. આઝમ ખાને કહ્યું હતું કે, "હું આખી રાત જાગતો રહ્યો. અમારા લોકસભાના ઉમેદવારો ગંજ પોલીસ સ્ટેશન, કોતવાલી પોલીસ સ્ટેશન અને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન (રામપુરમાં) ગયા હતા. સૌથી વધુ અભદ્ર વર્તન ગંજ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. તે એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. જો મતદાનની ટકાવારી ઘટશે તો દોષ પ્રશાસનને ઠેરવશું."
પૈસાની લેવડ દેવળ પણ થઇ રહી છે
આઝમ ખાને કહ્યું કે, "જો મતદાનની ટકાવારી ઓછી થાય છે, તો દોષિત સરકાર પણ છે. તેઓએ આખી રાત કહેર વર્તાવ્યો છે. સાયરન વગાડતી જીપો શહેર (રામપુર)માં બધે જ હતી. તેઓ લોકોને પોલીસ સ્ટેશન લઈ જતા અને પછી તેમને માર મારતા. મેં પૈસાની લેવડ દેવડ વિશે પણ સાંભળ્યું છે. આ શરમજનક છે."
#WATCH हमसे बड़ा अपराधी कौन है? तो हमारे साथ जो चाहे करे। मुर्गी, बकरी, भैंस, पुस्तक और फर्नीचर के आरोपी है तो हमारे शहर को भी वैसा मना गया है, तो जो चाहे करे..हमें तो सहना है रहना है: लोकसभा उपचुनाव की रात पुलिस की हिंसा के बाद आजम खान,सपा नेता,रामपुर,यूपी pic.twitter.com/rZuW7UFQqP
હું ગુનેગાર છું
" હું ગુનેગાર છું એ હું માનું છું . તેથી મારા શહેરને પણ આ જ રીતે ગણવામાં આવ્યું છે. તે ઇચ્છે તે કરી શકે છે, અમારે સહન કરવું પડશે. જો મારે રહેવું હોય તો મારે સહન કરવું પડશે, આવું ખાને કહ્યું હતું. આઝમ ખાન પર હાલ અનેક ગુનાહિત મામલાનો સામનો કરી રહ્યા છે.
2019ની લોકસભા ચૂંટણી બે પાર્ટી સાથે મળીને લડી હતી
આઝમગઢ પેટાચૂંટણીમાં સપા પ્રમુખ અખિલેશ યાદવના રાજીનામાના કારણે થઇ રહી છે. આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી ચૂંટણીમાં અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એ જ રીતે આઝમ ખાને પણ રાજ્ય વિધાનસભામાં ચૂંટાયા બાદ પોતાની રામપુર લોકસભા બેઠક ખાલી કરી દીધી હતી. અખિલેશ યાદવ કરહલ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, જ્યારે આઝમ ખાન રાજ્યના રામપુર સદર મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ બહુજન સમાજ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી હતી.