1લી ફેબ્રુઆરીના રોજ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું તેમા જાહેરાત કરી કે ભારત સરકાર દેશની સૌથી મોટી વીમા કપંની ભારતીય જીવન વીમા નિગમ (LIC)નો અમૂક ટકા ભાગનો IPO જાહેર કરશે.સરકાર LICને સ્ટોક એક્સચેન્જ માર્કેટમાં રજીસ્ટર કરશે તો વીમાધારકોને શું અસર થશે?
LICના રોકાણના ખોટા નિર્ણયો પર પણ સવાલો ઉઠ્યા હતા
LIC 31.11 લાખ કરોડ રૂપિયાની સંપતિ ધરાવે છે
LICને સ્ટોક એક્સચેન્જમાં કંપનીને લિસ્ટ કરશે અને IPO બહાર પાડશે
સરકારના આ નિર્ણય વિરૂદ્ધ LICના કર્મચારી સંગઠને મંગળવારે એક કલાકની 'વોક આઉટ' હડતાલ કરવાનો નિર્ણય લીધો હતો. કર્મચારીએ હડતાલનો નિર્ણય LICમાં શરૂઆતી IPO વેચવાનાના વિરોધમાં હડતાલ કરી હતી. શનિવારે બહાર પાડેલા બજેટમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે જાહેરાત કરી હતી કે સરકાર LICને સ્ટોક એક્સચેન્જમાં કંપનીને લિસ્ટ કરશે અને IPO બહાર પાડશે. ત્યારબાદ બજારમાં વીમાધારકોથી લઈ દરેક લોકોને LICના ભવિષ્યની ચિંતા છે.
મુશ્કેલીના સમયમાં સરકારને કામ આવે છે LIC
મળતી માહિતી મુજબ, જુલાઈ 2019 સુધીમાં LIC 31.11 લાખ કરોડ રૂપિયાની સંપતિ ધરાવે છે. તે દર વર્ષે સ્ટોક માર્કેટમાં 55 હજાર કરોડનું રોકાણ કરે છે. ભારતીય સ્ટોક માર્કેટમાં સૌથી વધુ રોકાણમાં LIC આગળ હોય છે. ડીબેન્ચર અને બોન્ડમાં LIC સૌથી આગળ હોય છે. આ આંકડો અંદજીત 4,34,959 કરોડ રૂપિયા છે. 2017-18ના વર્ષમાં LICએ જાણકારી આપી હતી કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડિંગમાં માર્ચ 2018માં 3,76,097 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
શા માટે LICને સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરાવા માંગે છે સરકાર
સરકાર નાણાકીય વર્ષ 2020-21માં LICમાંથી ડિસઈન્વેસ્ટમેટ કરશે અર્થાત્ ભારત સરકાર પોતાનો થોડો હિસ્સો LICમાંથી કાઢી લેશે. સરકારના એક આયોજન મુજબ આ વર્ષે LICમાંથી 65 હજાર કરોડનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરશે. આ સાથે આગળના નાણાકીય વર્ષમાં સરકાર 2.10 લાખ કરોડ રૂપિયાનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરશે. જો કે આ વર્ષે 1.05 લાખ કરોડના ડિસઈન્વેસ્ટમેન્ટનો લક્ષ્ય રખાયો હતો પરંતુ પાછળથી 65 હજાર કરોડ કરાયો.
એવું માનવામાં આવી રહ્યું છે કે LICનો IPO દેશનો સૌથી મોટો IPO સાબિત થઈ શકે છે. જો સરકાર LICનો IPO લઈને આવશે તો તેમની મૂડીમાં વધારો થઈ શકે છે. આ સાથે આ મુડી વધશે એટલે સરકાર પોતાનું દેવું ભરવામાં તેનો ઉપયોગ કરી શકે છે.
તમે પણ લીધી છે LICની પોલીસી તો શું થશે અસર
વર્તમાનમાં ભારતના 75 ટકા વીમા બજારમાં LICનું વર્ચસ્વ છે જો કે પાછલા વર્ષે LICના રોકાણના ખોટા નિર્ણયો પર પણ સવાલો ઉઠ્યા હતા. હવે સરકાર દ્વારા LIC IPO લાવવાના નિર્ણયમાં માનવામાં આવી રહ્યું છે કે LICનું લિસ્ટીંગ થયા બાદ કંપનીના કામકાજમાં પહેલા કરતાં વધુ સારી રીતે થઈ શકે છે.
જો કંપની સારું વર્ચસ્વ ટકાવી રાખશે તો તેમનો લાભ વીમા ધારકોને મળશે. જાણકારોનું કહેવું છે કે LICની વધારે પોલીસી નોન યુનિટ લીંક છે. અર્થાત્ જો શેરબજારમાં ઉતાર-ચડાવ આવે તો તેમની અસર પોલીસી પર જોવા મળશે નહીં.