સાઈલેન્ટ કિલર કહેવામાં આવતું હાઈપરટેન્શન લોકોના જીવ લેવાની સાથે જ બાળકો પેદા કરવાની ક્ષમતા ઘટાડી રહ્યું છે.
આ બિમારીના લક્ષણો નથી દેખાતા
બાળકો પેદા કરવાની ક્ષમતા ખતમ થઈ જાય છે
આ કારણે લોકો ન ઈચ્છવા છતાં હાઈપરટેન્શનનો શિકાર બને છે
FPA Indiaમાં હેલ્થ એક્સપર્ટે જણાવ્યા અનુસાર બહારથી હાયપરટેન્શન (Hypertension)નું કોઈ લક્ષણ નથી દેખાતું. આ બિમારીથી પીડિત વ્યક્તિ દૂરથી સામાન્ય દેખાય છે. પરંતુ અંદરો અંદર મુંઝાયા કરે છે. તે પોતાની નિરાશા કોઈને કહી નથી શકતો અને ધીરે ધીરે આ બિમારીમાં ફસાતો જાય છે.
ફેમિલી પ્લાનિંગ સાથે જોડાયેલા એક્સપર્ટે વેબિનારમાં જણાવ્યું કે કોરોના કાળમાં આ બિમારીનો પ્રકોપ વધી ગયો છે. નોકરી જવાનો ડર, બિમારીની ઝપેટમાં આવવાની ચિંતા અને પરિવારના ભરણ પોષણમાં આવતી સમસ્યાઓએ લોકોને વધુ ચિંતીત કરી દીધા છે. જોના કારણે તેઓ ન ઈચ્છવા છતાં હાઈપરટેન્શનનો શિકાર બને છે.
બાળકો પેદા કરવાની ક્ષમતા પર પડે છે અસર
FPAના પ્રેસિડેન્ટ ડોક્ટર રત્નામાલા દેસાઈએ જણાવ્યા અનુસાર હાઈપરટેન્શના કેસો ઘટાડવા માટે સરકારે દેશમાં નિયમિત રીતે હેલ્થ ચેક અપ કેમ્પ કરવાનું આયોજન વધારવું જોઈએ. આ યોજનામાં 35થી 65 વર્ષના મહિલા-પુરુષોને ખાસ કરીને બોલાવવામાં આવે. હકીકતે આજ ઉંમર બાળકો પેદા કરવાની હોય છે. જો આ ઉંમરમાં લોકો એક વખત હાઈપરટેન્શનનો શિકાર થાય છે તો તેમની સમય રહેતા સારવાર ન કરવામાં આવે તો તે બાળકો પેદા કરવાની ક્ષમતા ગુમાવી દે છે.
ચંડીગઢ પીજીઆઈમાં ડોક્ટર સોનૂ ગોયલ કહે છે કે ભારતમાં 15થી 49 વર્ષની મહિલાઓ પર એક સ્ટડી કરવામાં આવી. જેમાં જાણવા મળ્યું કે દરેક 5માંથી એક મહિલા આ બિમારી સામે ઝઝૂમી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે આ મહિલાઓને પણ ખબર છે કે આ બિમાર થઈ ચુકી છે અને તે આ બિમારી માટે કોઈ સારવાર પણ નથી લઈ રહી. તેના કારણે તેમની પર્સનલ લાઈફ અને બાળકો પેદા કરવાની ક્ષમતા પર પણ અસર પડી રહ્યો છે.
10 કરોડ 13 લાખની વસ્તી આ સમસ્યા સામે ઝઝૂમી રહી છે
હાઈપરટેન્શનને સામાન્ય રીતે હાઈ બ્લડ પ્રેશર અથવા તો હાઈ બીપીની સમસ્યા કહેવામાં આવે છે. દેશની લગભગ 10 કરોડ 13 લાખની વસ્તી આ સમસ્યા સામે ઝઝૂમી રહી છે. આ બિમારી આકસ્મિક મોતનું મોટુ કારણ છે. આંકડા કહે છે કે ભારતમાં લગભગ 30 પરસેન્ટ એડલ્ટ હાલમાં હાઈપરટેન્શનનો શિકાર છે અને સારવાર કરાવી રહ્યા છે. ત્યાં જ આ સંખ્યાથી ઘણા લોકો પોતાની પરિસ્થિતિની જાણ જ નથી.
રિપોર્ટ અનુસાર દુનિયામાં CVDના કારણે દર વર્ષે 17.7 કરોડ 70 લાખથી વધુ લોકો મોતનો શિકાર બને છે. WHOનું અનુમાન છે કે તેના દ્વારા લગભગ 20 ટકા મોત એટલે કે 36 લાખ લોકો એકલા ભારતમાં જ મોતને ભેટ્યા છે.