આઇઆઇટી-મદ્રાસના સંશોધકોએ એક એવી ટેક્નિક વિકસાવી છે, જેનાથી સમુદ્રનાં પાણીમાંથી હાઈડ્રોજન ઇંધણ બનાવી શકાશે. આની મદદથી ભવિષ્યમાં સ્વચ્છ ઇંધણ બનાવવાનો માર્ગ મોકળો થઇ શકે છે. આ અંગે જર્નલ એસીએચ સ્ટેનેબલ કેિમસ્ટ્રી એન્ડ એન્જિનિયરિંગમાં વિસ્તારપૂર્વક જણાવાયું છે.
સંશોધકોનો દાવો છે કે હવે આપણે ઇંધણને સ્ટોર કરવાની જરૂર નહીં પડે. નવી ટેક્નિક મદદથી માગ મુજબ હાઇડ્રોજનનું ઉત્પાદન કરી શકાશે. તેનો સંગ્રહ કરવાના પડકારો પણ ઘટી જશે, કેમ કે થોડી અસાવધાની પર ઇંધણની ટેન્કમાં વિસ્ફોટ થવાનો ખતરો રહે છે.
હાઇડ્રોજન: એક સ્વચ્છ ઉર્જા સ્ત્રોત
તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં હાઇડ્રોજન ઊર્જાનો એક સૌથી સારો સ્રોત બની શકે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે જ્યારે હાઇડ્રોજનનું દહન કરાય છે ત્યારે જીવાશ્મ ઇંધણની વનસ્પતિ તેમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન થતું નથી, જેનો ઊર્જાનો સ્વચ્છ સ્રોત કહેવાય છે. તેથી આ ઇંધણ પણ પર્યાવરણને અનુકૂળ હશે અને ગ્લોબલ વોર્મિંગ પણ નહીં લાવે.
સંશોધકોનું કહેવું છે કે રસ્તા પર પેટ્રોલ-ડીઝલથી ચાલતાં વાહનોની વધતી સંખ્યા અને દર વર્ષે વધતા તાપમાનને જોતાં ભવિષ્યમાં હાઇડ્રોજન ઇંધણની જ જરૂર પડશે. આજે આપણી આસપાસ જેટલાં મશીન ચાલે છે. મોટા ભાગનાં કાર્બનનું ઉત્સર્જન કરે છે, પરંતુ હાઇડ્રોજનનો ઉપયોગ વધવાથી તેનું ઉત્સર્જન ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.
વિશ્વના ઘણા દેશમાં હાઇડ્રોજનથી ચાલતી બસની ટ્રાયલ પણ શરૂ થઇ ચૂકી છે. વૈશ્વિક સ્તર પર વાયુ પ્રદૂષણ ના વધતા સ્તરને જોતાં સંશોધકો સમુદ્ર પાણીથી હાઇડ્રોજન પાવર બનાવીને કાર અને બાઇક ચલાવવાનું લક્ષ્ય કરી રહ્યા છે.