ધારેશ્વર રોડ પર ચિત્રકૂટ સોસાયટીમાં ઝેરી કેમીકલ વહ્યું હતું, આસપાસના લોકોને ધુમાડાથી આંખમા બળતરા અને ઉધરસ ઉપડી
જેતપુરમાં ઝેરી કેમિકલ લીક
આસપાસના રહીશોના રુંધાયા શ્વાસ
ગોડાઉન માલિક વિરુદ્ધ થશે કાર્યવાહી
રાજકોટના જેતપુરમાં ગોડાઉનમાંથી કેમિકલ લીકેજની ઘટના બની હતી જેને કારણે આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને આખો બળવાની સમસ્યા શરૂ થઈ છે.ઘટનાની જાણ થતા તંત્ર દોડતુ થયું હતું.
લોકોના શ્વાસ રૂધાયા અને આખોમાં બળતરાની સમસ્યા થઈ
જેતપુરના ધારેશ્વર નજીક ગોડાઉનમાંથી કેમિકલ લીકેજ થતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ચિત્રકુટ પાર્કના એક ગોડાઉનમાં કેમિકલના બેરલ લિકેજ થતા આસપાસના વિસ્તારમાં લોકોના શ્વાસ રૂધાયા અને આખોમાં બળતરા થવા લાગી હતી. જો કે ફાયર બ્રિગેડે લિકેઝ થઈ રહેલા કેમિકલ પર કંટ્રોલ મેળવી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
હાઈડ્રોકલોરીક એસિડ થયું હતું લિકેજ
ઘટનાની જો વાત કર્યે તો હરિઓમ વૃદ્ધાશ્રમ પાછળ આવેલા ગોડાઉનમાં હાઈડ્રોકલોરીક એસિડના ચાર બેરલ હતા, જેમાંથી એક બેરલમાં લીકેજ થતા ઘટના બની હતી. કેમિકલ બેરલમાં હાઈડ્રોકલોરીક એસિડ લિકેજ થવાથી લોકોને શ્વાસ લેવામાં અને આંખોમાં બળતરા થવા લાગી હતી. ઘટનાની જાણ થતા મામલતદાર સહિત ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી લિકેઝ થઈ રહેલા કેમિકલ પર કંટ્રોલ મેળવી મોટી દુર્ઘટનાણએ ટાળી દીધી હતી.
બેરલમાંથી પ્રવાહી ઢોળાયું હોવાનો તપાસમાં ખુલાસો
ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમ, GPCBના અધિકારીઓ, મામલતદાર અને પાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં ગોડાઉનમાં ભરેલા બેરલમાંથી પ્રવાહી ઢોળાયું હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો. હાઈડ્રોક્લોરીક કેમિકલ લીકેજ થતા આસપાસના વિસ્તારોના લોકોને શ્વાસ અને આંખો બળવાની સમસ્યા સર્જાઈ હતી. ફાયર બ્રિગેડે લિકેઝ થઈ રહેલા કેમિકલ પર કંટ્રોલ મેળવી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.જો કે કેમિકલના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલિફ થઈ હતી. આ મામલે હવે ગોડાઉન માલિક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.