હૈદરાબાદમાં અવિરત વરસાદને પગલે શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી અને શહેરનું જનજીવન ખોરવાઈ ગયું હતું. તેલંગાણાના વહીવટી તંત્રની વિનંતી મુજબ, કુદરતી આપત્તિનો સામનો કરવા માટે શહેરમાં national disaster response force ( NDRF ) ની 4 ટીમો તૈનાત કરવામાં આવી છે.
.બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનના લીધે થયો વરસાદ
હૈદરાબાદમાં ચારેકોર રસ્તાઓ પર પાણી ભરાયાના દ્રશ્યો
પીએમ મોદીએ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી
આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં ભારે વિનાશ થયો છે અને અત્યાર સુધીમાં બંને રાજ્યોમાં 25 લોકોનાં મોત નીપજ્યાં છે. હૈદરાબાદમાં વરસાદનો સૌથી મોટો વિનાશ જોવા મળ્યો છે. હૈદરાબાદના ઘણા ભાગોમાં સતત વરસાદને કારણે 15 લોકોનાં મોત નીપજ્યાં છે.
— ѕαtчα prαdhαnसत्य नारायण प्रधान ସତ୍ଯପ୍ରଧାନ-DG NDRF (@satyaprad1) October 13, 2020
નીચાણ વાળા વિસ્તારો સંપૂર્ણ ડૂબી ગયા છે
હૈદરાબાદમાં 15 લોકો ઉપરાંત, કર્નૂલ નગરમાં 3 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમાંથી બદલાગુડાના મોહમ્મદિયા હિલ્સમાં દિવાલ પડવાના કારણે 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ચારેકોર રસ્તાઓ પર ભારે પાણી ભરાયા છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. તેલંગાણામાં 18 અને આંધ્રપ્રદેશમાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે.
આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે ભારે વરસાદથી પરેશાન આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મુખ્યમંત્રીઓ સાથે તેમણે વાત કરી છે અને તેઓને તમામ શક્ય સહાય આપવાની ખાતરી આપી છે.
Spoke to @TelanganaCMO KCR Garu and AP CM @ysjagan Garu regarding the situation in Telangana and AP respectively due to heavy rainfall. Assured all possible support and assistance from the Centre in rescue & relief work. My thoughts are with those affected due to the heavy rains.
પીએમ મોદી એ કહ્યું, 'ભારે વરસાદને કારણે અમે તેલંગાણા CM ચંદ્રશેખર રાવ અને અને આંધ્ર પ્રદેશના CM વાય એસ જગન મોહન રેડ્ડી સાથે વાત કરી. બચાવ અને રાહત કાર્યમાં કેન્દ્રએ તમામ શક્ય મદદ કરવાનું વચન આપ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
વ્યક્તિ દીઠ 500 રૂપિયાની ત્વરિત સહાય
બીજી તરફ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ અધિકારીઓને હાઇ એલર્ટ પર રહેવા અને રાહત શિબિરોમાં આશ્રય લીધેલા લોકોને તમામ શક્ય સહાય આપવાનો નિર્દેશ આપ્યો હતો અને કેમ્પમાં દરેક વ્યક્તિને 500 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
— ѕαtчα prαdhαnसत्य नारायण प्रधान ସତ୍ଯପ୍ରଧାନ-DG NDRF (@satyaprad1) October 14, 2020
ચક્રવાતી વાવાઝોડાને કારણે ભારે વરસાદ અને પૂરથી સર્જાયેલી પરિસ્થિતિ અંગે બુધવારે અમરાવતી માં સમીક્ષા બેઠક દરમિયાન મુખ્યમંત્રી રેડ્ડીએ જિલ્લા પ્રશાસનને પૂરગ્રસ્ત વિસ્તારોમાં પૂરતા પગલા ભરવા નિર્દેશ આપ્યો હતો. તે જ સમયે, પૂર રાહત શિબિરોમાં આશરો લેનારા દરેક વ્યક્તિને તાત્કાલિક 500 રૂપિયાની રાહત આપવાની જાહેરાત કરી છે.
બંગાળ ની ખાડીમાં ડિપ્રેશનના લીધે આ વરસાદ થયો
સિકંદરાબાદમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે છેલ્લા બે દિવસથી સતત વરસાદથી હૈદરાબાદ ના અનેક રહેણાંક વિસ્તારોમાં વરસાદ થયો હતો જેના લીધે પાણી ભરાયા છે. સેના પણ લોકોને બચાવવા રાજ્ય સરકાર સાથેના અભિયાનમાં જોડાઈ ગઈ છે. લોકોને રાહત શિબિરમાં ફૂડ પેકેટનું પણ વિતરણ કરાયું હતું.
હૈદરાબાદમાં NDRFની 4 ટીમો
NDRF દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, હૈદરાબાદમાં અવિરત વરસાદને કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી અને શહેરનું જનજીવન ખોરવી નાખ્યું હતું. તેલંગાણા સ્ટેટ એડમિનિસ્ટ્રેશનની વિનંતી મુજબ, કુદરતી આપત્તિનો સામનો કરવા શહેરમાં રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ NDRF ની 4 ટીમો તૈનાત કરવામાં આવી છે.
— ѕαtчα prαdhαnसत्य नारायण प्रधान ସତ୍ଯପ୍ରଧାନ-DG NDRF (@satyaprad1) October 14, 2020
NDRF માં કર્મીઓએ તેલંગાણાના યદાદ્રી ભુવનાગિરિ જિલ્લાના પોચનપલ્લી ખાતે પૂરના પાણીમાં ફસાયેલી એક બસમાંથી આશરે 20 ફસાયેલા લોકોને બચાવ્યા હતા. શહેરોમાં પૂર બાદ NDRF ટીમોએ આજે 22 લોકોને બચાવ્યા અને હૈદરાબાદ અને રંગારેડિ જિલ્લાના 1,165 લોકોને બચાવ્યા.
મોટી સંખ્યામાં લોકો તેમના ઘરોમાં ફસાયેલા છે અને મદદ માગી રહ્યા હોવાથી રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. હાલમાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા NDRF ની 100 ટીમો વિવિધ ભાગોમાં તૈનાત કરવામાં આવી છે. NDRF ના ડાયરેક્ટર જનરલ સત્ય નારાયણ પ્રધાન પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છે.