રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે હિન્દુત્વ પર મોટું નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે કહ્યું કે સંઘની નજરમાં 130 કરોડની વસ્તી હિન્દુ છે. બુધવારે મોહન ભાગવતે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ભારતમાં લોકોની સંસ્કૃતિ અને ધર્મ ગમે તે હોય પણ તેઓ હિન્દુ છે.
ભારત દેશ, પરંપરાથી હિન્દુત્વવાદી છેઃ મોહન ભાગવત
વિજય સંકલ્પ સભાના મુખ્ય અતિથિ હતા મોહન ભાગવત
ભાગવતે વધુમાં કહ્યું કે, જે રાષ્ટ્રવાદી છે, જે ભારતીય સંસ્કૃતિનું સન્માન કરે છે, તે બધા હિન્દુ છે. તમામ સમાજ અમારા છે અને સંઘ સૌને એક કરવા માંગે છે. મોહન ભાગવતે આ વાત હૈદરાબાદની વિજય સંકલ્પ સભા દરમિયાન કહી. સંઘ પ્રમુખે કહ્યું કે ભારત દેશ, પરંપરાથી હિન્દુત્વવાદી છે.
ભાગવતે ટાગોરની વાત યાદ અપાવી
ભાગવતે પોતાના ભાષણમાં બ્રિટિશ રાજ અને તેમના ફોડી નાખો અને રાજ કરોની નીતિને પણ યાદ અપાવી. તેની સાથે જ સંઘ પ્રમુખે રવીન્દ્રનાથ ટાગોરની વાત પણ યાદ અપવી કે જેમણે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે એકતા પર જોર આપ્યું હતું.
ભાગવતે કહ્યું - ભારતમાં પેદા થનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે
મોહન ભાગવતે ટાગોરના નિબંધ 'સ્વદેશી સભા'નો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતીય સમાજનો સ્વભાવ એકતા તરફ વધવાનો છે. સંઘ પ્રમુખે વધુમાં કહ્યું કે ભારતમાં પેદા થનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે. તે અલગ અલગ ધર્મોનું પાલન કરી રહ્યા છે. જે અલગ અલગ છે પરંતુ તમામ ભારતીય છે અને ભારત માતાના સંતાન છે.
જણાવી દઇએ કે મોહન ભાગવત બુધવારે હૈદરાબાદના સરૂર નગર સ્ટેડિયમમાં આયોજિત વિજય સંકલ્પ સભાના મુખ્ય મહેમાન હતા. જેમાં ભાગ લેવા માટે અંદાજિત 20 હજાર સંઘ કાર્યકર્તા પોતાના ગણવેશમાં પહોંચ્યા હતા. સંઘ કાર્યકર્તાઓએ લાઠીની સાથે માર્ચ પણ કરી હતી.