હૈદરાબાદ ગેંગરેપના કેસમાં આજે બપોરે લોકસભામાં ચર્ચા થશે. સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ જયા બચ્ચને કહ્યું કે નિર્ભયા હોય કે કઠુઆ. સરકારે યોગ્ય જવાબ આપવો જ જોઈએ, જે લોકોએ આવું કર્યું છે તેમને ભીડને હવાલે કરી દેવા જોઈએ. તેમને શરમ આવે તેવી સજા મળવી જોઈએ.
હૈદરાબાદ રેપ-મર્ડર કેસ
બળાત્કારીઓને ભીડને હવાલે કરોઃ જયા બચ્ચન
આજ સુધી નિર્ભયાને ન્યાય મળ્યો નથીઃ સંજય સિંહ
રાજયસભામાં હાલમાં આ બાબતને લઈને ચર્ચા થઈ રહી છે. સાંસદોએ આરોપીઓની વિરુદ્ધમાં કડક પગલાં લેવાની માંગ કરી છે. રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે હૈદરાબાદ ગેંગરેપનો મુદ્દો ઉઠાવ્યો હતો.
કાયદો છે તો અમલ કરવામાં આવેઃ સંજય સિંહ
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે કડક કાયદો બન્યો છે પરંતુ તેની પર અમલ થઈ રહ્યો નથી. નક્કી સમય સીમા બનાવીને તેની પર અમલ કરવામાં આવે. આજ સુધી નિર્ભયાને ન્યાય મળ્યો નથી.
લોકસભામાં ઉઠી શકે છે આ અન્ય મુદ્દા
લોકસભાની આચરણ સમિતિની આજે 3 વાગે બેઠક યોજાવવાની છે. તેમાં બીજેપી સાંસદ પ્રજ્ઞા ઠાકુરની ગોડસેની પ્રતિક્રિયાનો મુદ્દો ઉઠી શકે છે. આ સાથે જ કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીની તરફથી પણ પ્રજ્ઞા ઠાકુરની ટિપ્પણીનો મુદ્દો ઉઠી શકે છે. આ સમિતિના અધ્યક્ષ વિનોદ સોનકર છે. જ્યારે કોંગ્રેસ અને મુસ્લિમ લીગની તરફથી અરુણાચલમાં ચીનની ઘૂસણખોરીને લઈને ચર્ચા પર પણ પ્રસ્તાવ આપવામાં આવી શકે છે. આરજેડી નેતા મનોજ ઝાએ પણ રાજ્યસભામાં દિલ્હી વિશ્વવિદ્યાલયમાં 5 હજાર અસ્થાયી અધ્યાપકોએ સ્થિતિ પર ચર્ચા કરવા માટે નોટિસ આપી છે. બીજેપી સાંસદ સંપતિયા ઉઈકેએ રાજ્યસભામાં ખાનગી હોસ્પિટલમાં ફી વધારાને લઈને પણ નોટિસ આપી છે.