તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (KCR) ના દિકરા અને મંત્રી કેટી રામારાવ (KTR) દ્વારા હૈદરાબાદ દુષ્કર્મ અને હત્યા મામલે ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. કેટી રામારાવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે લોકો ઝડપથી પરીણામ ઇચ્છે છે.
રાજ્યના મંત્રી કેટી રામારાવએ આપ્યું હતું નિવેદન
હૈદરાબાદના દુષ્કર્મના આરોપીઓને લઇને આપ્યું હતું નિવેદન
મંત્રીના નિવેદન બાદ 6 કલાકમાં થયું એન્કાઉન્ટર
કેટી આરના આ નિવેદન બાદ 6 કલાકની અંદર જ હૈદરાબાદના દુષ્કર્મના આરોપીઓનું એન્કાન્ટર કરી દેવામાં આવ્યું છે. જો કે કેટી આરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે કાયદાકીય મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
તેલંગાણા પોલીસે દાવો કર્યો છે કે સીન રિક્રિએશન દરમિયાન આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ અને આરોપીઓ વચ્ચે આ દરમિયાન અથડામણ થઇ અને હૈદરાબાદ પોલીસના હાથે એન્કાઉન્ટરમાં ચારેય આરોપીઓ ઠાર મરાયાં. આ એન્કાઉન્ટર હૈદરાબાદના NH 44 પર શુક્રવારે સવારે 3 થી 6ની વચ્ચે તેલંગાણાના ચત્તનપલ્લી પુલ, શાદનગર, જિલ્લા રંગા રેડ્ડામાં થયું.
આ પહેલા તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (KCR) ના દિકરા અને રાજ્ય સરકાર મંત્રી કેટીઆરએ દુષ્કર્મ અને હત્યા મામલે જણાવ્યું હતું કે લોકો ઝડપથી પરીણામ ઇચ્છે છે. મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે લોકો ઝડપથી પરીણામ ઇચ્છે છે, સાંસદો પણ આરોપીઓને ઝડપથી ફાંસી દેવાની માંગ કરી રહ્યા છે. એટલું જ નહીં તમે પણ ઇચ્છો છો કે તત્કાલ પ્રભાવથી ફેરફાર થાય. પરંતુ કેટીઆરએ જણાવ્યું કે સરકારમાં રહીને હું એમ ન કહી શકું કે પબ્લિકની વચ્ચે ગોળી મારી દેવામાં આવે, એવી રીતે આપણો કાયદો કામ કરતો નથી.
કેટી રામારાવે કહ્યું કે પરંતુ આપણો કાયદો પોતાની રીતે કામ કરે છે. કેટી રામારાવે કહ્યું કે યાદ કરો કે નિર્ભયા કેસ અને કસાબ કેસમાં શું થયું હતું. હું પણ ભાવુક છું. કેટી રામારાવે કહ્યું કે દુર્ભાગ્ય રીતે હું જનતા જે સ્ટેન્ડ ઇચ્છે છે તે હું લઇ શકુ તેમ નથી.