મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે જોરશોરથી પ્રચારમાં લાગેલા ઓલ ઇન્ડિયા મજલિસ-એ ઇત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ઓવૈસીએ મતદારોને કહ્યું છે કે કોંગ્રેસને મત આપવો એ ભાજપ અને શિવસેનાને મજબૂત કરવા સમાન છે, એટલા માટે કોંગ્રેસને મત ન આપો.
અકોલાની રેલીમાં ઓવૈસીની મતદારોને અપીલ
કોંગ્રેસને મત આપીને ખરાબ ન કરો, ભાજપ મજબૂત થઇ જશે
ભાજપને હરાવવું છે તો કોંગ્રેસને મત ન આપોઃ ઓવૈસી
મહારાષ્ટ્રના અકોલામાં બાલાપુર વિધાનસભા ક્ષેત્રથી AIMIMની ટિકિટ પરથી લડી રહેલ ડૉ રહમાન ખાનના પક્ષમાં મત આપવાની અપીલ કરતા ઓવૈસીએ કહ્યું કે, કોંગ્રેસ મત જ ન આપો, કારણ કે એવું કરવાથી ભાજપ અને શિવસેનાને તાકાત મળશે. ઓવૈસીએ કહ્યું કે જો ભાજપ અને શિવસેનાને હરાવવું છે તો પોતાના મત ખરાબ ન કરતા.
આ પહેલા અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના નાંદેડમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા મુસ્લિમ મતદારો સાથે ખાસ વાતચીત કરી હતી. ઓવૈસીએ મુસ્લિમ મતદારોને અપીલ કરતા કહ્યું હતું કે હવે ખુદા માટે સેકુલરિઝ્મને ભૂલી જાઓ અને એક થવાનું કામ કરો.
ઓવૈસીએ સેકુલરિઝ્મના બહાને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ઓવૈસીએ કહ્યું હતું કે સેકુલરિઝ્મ અમારી નથી, કોંગ્રેસની જવાબદારી છે, આપણે 70 વર્ષ સુધી હક આપ્યો છે.
જણાવી દઇએ કે ઓવૈસીની પાર્ટી AIMIM મહારાષ્ટ્રની રાજનીતિમાં ઘણી એક્ટિવ છે અને પાર્ટીને અહીંથી ઉમેદવારને પરિણામ પણ મળતા રહ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં પણ ઓવૈસીએ પોતાની પાર્ટીના ઉમેદવારો ઉતાર્યા છે, જેના માટે પૂરજોશ રીતે પ્રચારમાં જોડાયા છે.