હૈદરાબાદઃ 11 વર્ષ પહેલા મક્કા મસ્જિદમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં આ બ્લાસ્ટનાં આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. જો કે આ મામલે વિશેષ NIA કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણીમાં કોર્ટે અસીમાનંદ સહિત તમામ 5 આરોપીઓને મુક્ત કર્યા છે. ચુકાદો આપવા માટે સ્વામી અસીમાનંદને નમાપલ્લી કોર્ટમાં લાવવામાં આવ્યાં હતાં.
આ મામલે સ્વામી અસીમાનંદ મુખ્ય આરોપીઓમાંથી એક હતાં. રાષ્ટ્રીય તપાસ એજન્સીની વિશેષ કોર્ટ ચુકાદો આપ્યો છે. મહત્વનું છે કે હૈદરાબાદમાં 18 મેં 2007નાં શુક્રવારનાં રોજ નમાઝ દરમ્યાન બ્લાસ્ટમાં 9 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે 58 લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. જો કે આ મામલે 10 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાં 8 લોકોની વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
આ આરોપીઓમાં સ્વામી અસીમાનંદ દેવેન્દ્ર ગુપ્તા લેકેશ શર્મા ઉર્ફે અજય તિવારી લક્ષ્મણ દાસ મહારાજ મોહનલાલ રતેશ્વર અને રાજેન્દ્ર ચૌધરી શામેલ હતાં. જો કે હજી સુધી કાલસાંગર અને સંદીપ વી. ડાંગે ફરાર છે. મહત્વનું છે કે આ મામલામાં કુલ 160 સાક્ષીઓનાં નિવેદન નોંધવામાં આવ્યાં હતાં.