તેલંગાણાની રાજધાની હૈદ્રાબાદને વર્લ્ડ ગ્રીન સિટીનો પુરસ્કાર મળેલ છે. ભારતનું આ એક માત્ર એવું શહેર હશે કે જેને વિશ્વકક્ષાએ આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.
હૈદ્રાબાદ ફરી બન્યું દેશનું ગૌરવ
વિશ્વકક્ષાએ જીત્યો વર્લ્ડ ગ્રીન સિટીનો પુરસ્કાર
ભારતનું એકમાત્ર શહેર જીત્યો આ એવોર્ડ
હૈદ્રાબાદ: તેલંગાણાંની રાજધાની હૈદ્રાબાદને દક્ષિણ કોરિયાનાં જેજૂમાં આયોજિત ઇન્ટરનશનલ એસોસિએશન ઑફ હૉલિક્ચર પ્રોડ્યૂસર્સ (AIPH) 2022 વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડસ્ 2022માં સમગ્ર આ પુરસ્કાર 'વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ 2022' કેટેગરીમાં અને બીજો 'લિવિંગ ગ્રીન ફોર ઇકોનોમિક રિકવરી એન્ડ ઇન્ક્લૂઝિવ ગ્રોથ' કેટેગરીમાં પણ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
ભારતનાં એક માત્ર શહેરને મળ્યો એવોર્ડ
એક સત્તાવાર પ્રકાશન અનુસાર હૈદ્રાબાદ એકમાત્ર ભારતીય શહેર છે જેને આ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવેલ છે અને આ ન માત્ર તેલંગાણાં માટે પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. જેણે ન માત્ર શ્રેણી પુરસ્કાર જીત્યું પણ સમગ્ર વર્લ્ડ ગ્રીન સિટી 2022નો પુરસ્કાર મેળવ્યો. તમામ 6 શ્રેણીઓમાં આ પુરસ્કાર મળ્યો છે.
શહેરી વિકાસમંત્રીએ પાઠવી શુભેચ્છા
નગર પ્રશાસન અને શહેરી વિકાસમંત્રી કે.ટી રામારાવે આ મહાન ઉપલબ્ધિ માટે સમગ્ર હૈદ્રાબાદ મેટ્રોપૉલિટન ડેવલોપમેન્ટ ઑથોરિટી ટીમ અને વિશેષ મુખ્ય સચિવ, એમ.એ એન્ડ યૂ.ડી અરવિંદ કુમારને શુભેચ્છા પાઠવી.
મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે શહેરને પ્રતિષ્ઠિત ઇન્ટરનશનલ એસોસિએશન ઑફ હૉલિક્ચર પ્રોડ્યૂસર્સ (AIPH) પુરસ્કાર પ્રાપ્ત કરવા પર પોતાની પ્રશંસા પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 'આ આંતરરાષ્ટ્રિય પુરસ્કારોનએ તેલંગાણાં ઇને દેશની પ્રતિષ્ઠાને વધુ મજબૂત કરી છે.'
"દેશને હરિયાળું ફળ આપી રહી છે..."
મુખ્યમંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું કે, 'આ આંતરરાષ્ટ્રિય પુરસ્કાર આ વાતની સાબિતી આપે છે તે રાજ્ય સરકાર જે ગ્રીન સિટી અને અર્બન ડેવલોપેન્ટ કાર્યક્રમનો પૂરજોશમાં અમલ કરી રહી છે તેનું આ દેશને હરિયાળું ફળ પ્રદાન કરી રહી છે. તેમણે કહ્યું કે આ ગર્વની વાત છે કે હૈદ્રાબાદ ભારતનું એક માત્ર એવું શહેર છે કે જેને આ અવોર્ડ આપવામાં આવ્યો છે. '